Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Entertainment

ઘેરઘેર પ્રસાર ભારતીનો પાવર

October 20, 2023 by egujarati No Comments

આખા દેશમાં નહીં, આખી દુનિયામાં પણ કોન્ટેન્ટનો એવો ખજાનો બહુ ઓછી કંપનીઓ પાસે હશે જેવો પ્રસાર ભારતી પાસે છે. આવતા વરસે પોતાના ઓટીટીનું સપનું સાકાર કરીને આ સ્વદેશી, સરકારી બ્રાન્ડ ઓટીટીની દુનિયામાં રીતસરની ક્રાંતિ આણી શકે છે

દૂરદર્શન, આકાશવાણી અને એવી સરકારી સગવડોથી આપણે પરિચિત છીએ. કોઈ સેટેલાઇટ ચેનલ નહોતી, મોબાઇલ અને ઓટીટી ગર્ભમાં પણ નહોતાં ત્યારે દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, વિવિધભારતી દેશના 3,287,263 ચોરસ કિલોમીટર વિસ્તારમાં જ્ઞાન અને મનોરંજનનો મહાસાગર પહોંચાડતાં હતાં. આજે પણ પ્રસાર ભારતીની સેવાઓ સખત શક્તિશાળી છે. બની શકે શહેરી પ્રજા તરીકે ઘણા આ તાકાતથી વાકેફ ના હોય. આવતા વરસે સ્થિતિમાં નાટ્યાત્મક પરિવર્તન આવી શકે છે. બધું સમુંસુતરું પાર પડતાં આવતા વરસે આ સરકારી ઉદ્યમ ઓટીટીની દુનિયામાં એવું કામ કરશે જે આ સેવાઓને નવી ઊંચાઈએ પહોંચાડી દેશે.

પ્રસાર ભારતી પાસે એવું શું છે જે એને સૌથી અનન્ય બનાવે છે?

ઓલ ઇન્ડિયા રેડિયોની લાઇબ્રેરીમાં મહાત્મા ગાંધીજીનાં ભાષણોનો અલાયદો વિભાગ છે. એમાં ગાંધીજીની કલકત્તાના સોદેપુર આશ્રમમાં, 11 મે 1947ની પહેલી પ્રાર્થના અને  29 જાન્યુઆરી 1948ના રોજ, એમની નિઘૃણ હત્યાની પૂર્વસંધ્યાએ, દિલ્હીના બિરલા હાઉસમાં પ્રાર્થના પૂર્વેનું ભાષણ, બેઉ સામેલ છે. ગાંધીજીએ ઓલ ઇન્ડિયા રેડિયો પર જીવનમાં માત્ર એકવાર, 12 નવેમ્બર 1947ના રોજ વક્તવ્ય આપ્યું એ પણ સચવાયેલું છે. રવિન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોસ, ડો. બાબાસાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સરોજિની નાયડુ જેવાં સ્વાતંત્ર્યનાયકોનાં ભાષણ પણ સામેલ છે.  ભારતના તમામ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિનાં ભાષણોનાં રેકોર્ડિંગ્સ ખરાં જ.

Continue reading
Share:
Reading time: 1 min
Entertainment

તાલી વાગી નહીં, હડ્ડી વાગે છે

October 13, 2023 by egujarati No Comments

ત્રીજી જાતિને કેન્દ્રમાં રાખીને બનતા વિષયો હમણાંથી થોડા વધ્યા છે. એમાં બે લેટેસ્ટ વિકલ્પ છે સુસ્મિતા સેનવાળી સિરીઝ અને નવાઝુદ્દીન સિદ્દિકીવાળી ફિલ્મ

છ એપિસોડ્સ અને એમાં સુસ્મિતા સેન લીડમાં. શ્રીગૌરી સાવંત અને દેશમાં વ્યંઢળોને કાયદેસર ત્રીજી જાતિ તરીકે 2014માં સર્વોચ્ચ અદાલતે આપેલી માન્યતા. એ વિષયની સિરીઝ એટલે તાલી. ઓટીટી પર ‘આર્યા’ જેવી દમદાર સિરીઝની બે સીઝનથી દિલ જીતી લેનારી સુસ્મિતાની ઉપસ્થિતિમાત્ર સિરીઝને આશાસ્પદ બનાવે. એમાં નોખો, વાસ્તવિક બીના પર આધારિત વિષય ઉમેરાતા તાલાવેલી વધી જાય શું હશે સિરીઝમાં? પછી રિમોટ ઉપાડી સિરીઝ જોવાનું શરૂ કરતાં આશાના મિનારા ધ્વસ્ત થવા માંડે. લે, આ શું?

એક પ્રસ્તાવના બાંધીને, શ્રીગૌરીની એકોક્તિ સાથે, ‘તાલી’ શરૂ થાય છે. પુરુષના દેહ સાથે જન્મ લેનાર ગણેશ ઉર્ફે ગણ્યાને શમણાં છે સ્ત્રી જેવા જીવનનાં. એને મા બનવું છે. એનાં માબાપ એની કાલીઘેલી વાતોને હળવાશથી લે છે. પછી તરત કથા પહોંચે છે પુખ્ત શ્રીગૌરી અને 2014ના સમયમાં. સર્વોચ્ચ અદાલત ત્રીજી જાતિના કેસ વિશે ફેસલો સુણાવે એની ઘડીઓ ગણાઈ રહી છે. ફેસલો સકારાત્મક આવતા ત્રીજી જાતિના સભ્યો ખરા અર્થમાં દેશના નાગરિકો તરીકે માન્યતા મેળવવાના છે. શ્રીગૌરી સાથે વિદેશી મહિલા પત્રકાર છે. ત્યાંથી કથા વર્તમાન અને ભૂતકાળમાં ઝૂલતી રહે છે. આજની શ્રાગૌરી અને ગઈકાલના ગણ્યા વચ્ચે. પહેલા એપિસોડના અંતે અદાલતના પ્રાંગણમાં શ્રીગૌરીના ચહેરાને એક ખેપાની શાહી ફેંકીને ખરડી નાખે કે અંદેશો થઈ જાય કે કંઈક ખૂટી રહ્યું છે અહીં.

કમનસીબે, એ લાગણી છેલ્લે સુધી બદલાતી નથી. કારણ નબળું લખાણ. એમાં વળી શ્રીગૌરીના સંવાદો શાને કાવ્યાત્મક છે એ સમજાતું નથી. “વરદી દેખ કર દરદી હો જાતી હૂં મૈં”, અને, “યે વકીલ કમ શકીલ ઝ્યાદા લગતા હૈ”, આ છે ઉદાહરણો. સિરીઝનો પ્રવાહ પણ કંટાળો ઉપજાવે એવો ધીમો અને વિચિત્ર છે. કોઈ સુપર રોચક ઘટના પણ નથી. પુરુષના હૃદયમાં સ્ત્રીનો જીવ લઈને મોટો થતો ગણેશ, પિતાની ઘૃણા, ગણેશનું ઘરેથી નાસી જવું, વ્યંઢળો સાથે જોડાવું, સેક્સ પરિવર્તન પછી મા બનવાની ઇચ્છા સેવવી… બધું ઉપરછલ્લું છે. શ્રીગૌરી એક્ટિવિસ્ટ તરીકે ઉભરવા માંડે છે ત્યારની સિરીઝ ઊંચકવાની તક પણ એળે જવા દેવાઈ છે.

Continue reading
Share:
Reading time: 1 min
Entertainment

શો તૈયાર છે, કોઈ લેવાલ નથી

October 13, 2023 by egujarati No Comments

૨૦૧૯ અને ૨૦૨૩ વચ્ચે એક અધ્યાય સમાપ્ત થયો છે. સાથે શરૂઆત થઈ છે નવા પૂરું વળતર આપે એવા શોઝ માટે સજાગ થયા છે અધ્યાયની. ઓટીટી પ્લેટફોર્મ્સ પહેલાં પ્રસ્થાપિત થવા મરણિયા હતાં. હવે એ સૌ ખર્ચનું

તમારે નિર્માતા બનવું છે? ઓટીટી નામના પ્રદેશમાં રોકાણ કરીને કાંઈક કરી બતાવવું છે? મનોરંજન ઉદ્યોગના પાટનગર મુંબઈમાં કહેવાય છે કે અનેક લોકો થેલામાં પૈસા લઈને ફરે છે. એમની હોંશ કે ચાનક હોય છે નિર્માતા બનવાની. ફિલ્મ, ટેલિવિઝન અને હવે ઓટીટી પર એવા અનેક છે જેમણે વગર વિચાર્યે મોટ્ટાં રોકાણ કરીને માથે હાથ મૂકવાનો વારો આવ્યો. આ લોકો ફિલ્મ, સિરીયલ કે ઓટીટી માટે શો તો બનાવી નાખે પણ છેલ્લે એનો લેવાલ ના હોય.
વેબ સિરીઝના કામકાજે ૨૦૧૯થી હમણાં સુધીમાં એક ચક્ર જોઈ લીધું છે. કોવિડ પહેલાં ઓટીટી પ્લેટફોર્મ્સ આજ જેટલાં બળુકાં નહોતાં. એમના ભવિષ્ય સામે પ્રશ્નાર્થચિહ્ન ઝળુંબતું હતું. ફિલ્મો અને સિરિયલોનું આધિપત્ય હતું. કોવિડે સિનેમાને તાળાં વાસી દીધાં. સિરીયલ્સનાં શૂટિંગ બંધ કરાવ્યાં. ત્યારે ઓટીટી પર ઓલરેડી આવી ગયેલી સિરીઝ તરફ દર્શકોનું ધ્યાન પડયું અને બાજી પલટી ગઈ. સારી તો ઠીક, સામાન્ય વેબ સિરીઝને પણ ધોધમાર દર્શકો મળ્યા. ઓટીટી પ્લેટફોર્મ્સના દર્શકોની સંખ્યામાં જબ્બર ઉછાળો આવ્યો. ત્યાં સુધી ડાફરિયા મારનારા ઓટીટીના સંચાલકો સફાળા બેઠા થયા. એમને અંદેશો આવી ગયો કે થાળે પડી જવાનો આ ગોલ્ડન ચાન્સ છે. બસ, એમણે શરૂ કરી હોડ, જે મળે એ સિરીઝ ખરીદવાની.
કોવિડનાં દોઢ-બે વરસ દરમિયાન સારી-ખરાબ અનેક વેબ સિરીઝને લેવાલ મળી ગયા. નિર્માતાઓને દામ પણ સારામાં સારા મળ્યા. અમુક કિસ્સામાં શોની લાયકાત કરતાં વધારે દામ મળ્યા. છતાં, ઓટીટી પ્લેટફોર્મ્સ એટલે પાટે ચડી ગયાં કે ચોવીસેય કલાક ઘરમાં ગોંધાયેલા દર્શકો પાસે એના સિવાય કોઈ પર્યાય નહોતો.
કોવિડ પછી સિચ્યુએશન બદલાવાની એ નક્કી હતું. એ ફાઇનલી હવે દેખાય છે. એક અહેવાલ પ્રમાણે એવા ચાર-પાંચ ડઝન નાના-મધ્યમ બજેટના શોઝ છે જે નિર્માતાઓએ હોંશભેર બનાવ્યા છે, પણ કોઈ ઓટીટી એને ખરીદવા તૈયાર નથી. આ નિર્માતાઓ બોલિવુડ કે ટેલિવુડના માંધાતાઓ નથી કે નથી વગદાર. એમના માટે વેબ સિરીઝનું નિર્માણ જોખમ અને મહત્ત્વાકાંક્ષાનું કોમ્બિનેશન હતું. એમને હશે કે સારી સિરીઝ બનાવીને મનોરંજન ઉદ્યોગમાં ઝંપલાવીએ પછી…
Continue reading
Share:
Reading time: 1 min
Entertainment

ટ્વિન્કલ ટ્વિન્કલ ઓટીટી સ્ટાર્સ

September 29, 2023 by egujarati No Comments

મોટા પડદે મોટ્ટી નામના ધરાવતા સિતારાઓને ઓટીટી સાથે પણ આત્મીયતા છે. બોક્સ ઓફિસ કલેક્શનની ચિંતા વિના તેઓ ઘરપડદે કસબ દાખવી શકે છે. આ વરસે પણ અમુક ટોપ સ્ટાર્સે એના પર આગમન કર્યું છે અને આગળ પણ કરવાના છે

ફિલ્મોમાં દબદબાભર્યું સ્થાન ધરાવતા સિતારાઓને ઓટીટી શું કામ આકર્ષી રહ્યું છે? ઘણાં કારણોસર. ઓટીટીના કામમાં બોક્સ ઓફિસની જરાય ચિંતા કરવાની નથી હોતી. પૈસા પણ બહુ તગડા મળે. દર્શકોને સ્ટાર્સ ઘરપડદે આવે ત્યારે થોડી અલગ તાલાવેલી અને ઉત્કંઠા રહે છે. ફિલ્મોમાં જે અખતરા શક્ય નથી હોતા એ બધા ઓટીટી પર શક્ય થાય છે. પાત્ર અને વાર્તાપ્રવાહ બેઉમાં એ શક્ય છે. ફિલ્મો કરતાં ઓટીટી પર વાર્તા કહેવાની જુદી રીત હોવાથી પણ જુદા પ્રકારનો અનુભવ મેકર્સ, સ્ટાર્સ અને દર્શકોને મળે છે. આ બધાનો તાળો મેળવીએ કે સ્પષ્ટ થઈ જાય છે કે બિગ સ્ટાર્સ ઓટીટી પર આવતા રહેશે. જેઓ આવી ગયા છે તેઓ પાછા આવશે અને જેઓ નથી આવ્યા એ પણ આવવા ઝંખતા હશે.

ઓટીટી પર આગમન કરવાની લાંબી કતારમાં કરીના કપૂર પણ હતાં. એમનો હાલમાં જ નંબર લાગ્યો. સુજોય ઘોષની ફિલ્મ ‘જાને જાં’ હાલમાં જ નેટફ્લિક્સ પર આવી. ‘દૃશ્યમ્’ જેવી ગાજેલી ફિલ્મ અને સુજોય ઘોષને સ્ટાર મેકર બનાવનારી ફિલ્મ ‘કહાની’ જેવા તરેહની એ ફિલ્મ છે. જોકે ઘોષે ૨૦૦૩માં કરીઅરની શરૂઆત ‘ઝંકાર બીટ્સ’થી કરી હતી અને એ પણ મસ્ત અને સફળ ફિલ્મ હતી. વિદ્યા બાલન સાથેની ‘કહાની’ એમને વધુ ફળી, બસ એટલું જ. ‘જાને જાં’માં કરીનાના ભાગે મિસીસ ડિસોઝાનું પાત્ર આવ્યું છે. વાર્તા  કલીમપોંગમાં આકાર લે છે અને બહુધા માત્ર ત્રણ પાત્રો આસપાસ ફરે છે. બાકીનાં બે પાત્રોમાં ઓટીટી પર સ્ટાર્સ ગણાતા જયદીપ અહલાવત અને વિજય વર્મા છે. ત્રણેયનું કામ સરસ. ફિલ્મની ગતિ ધીમી અને કથાનક પણ એક મર્ડર આસપાસ ફરતું. કરીના માટે આ ફિલ્મ પરફેક્ટ ઓટીટી લાન્ચપેડ છે.

કરણ જોહરના પીઠબળ સાથે એક ફિલ્મ બની રહી છે, ‘અય વતન મેરે વતન’. એનું શૂટિંગ પતી ગયું છે. સારા અલી ખાન સાથે એમાં એલેક્સ ઓનેલ અને અભય વર્મા છે. ડિરેક્ટર કન્નન ઐયર છે. ફિલ્મની રિલીઝ આમ તો ઓગસ્ટ મહિનામાં નક્કી હતી. પછી ફિલ્મ પાછી ઠેલાઈ. સારા અલી ખાન બોલિવુડમાં આવી એને હજી માંડ પાંચેક વરસ થયાં. બધું મળીને એની દસેક ફિલ્મો આવી છે, જેમાંની ‘અતરંગી રે’ અને પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ સૌથી નોંધપાત્ર હતી. સારાની કરીઅર ધીમી ગતિએ આગળ વધી રહી હોવા છતાં સ્ટાર્સની દીકરીના નાતે એનું ભવિષ્ય ઉજળું છે. ઓટીટી પરની પોતાની ફિલ્મમાં એના માટે બોક્સ ઓફિસના પ્રેશર વિના પોતાની ક્ષમતા સિદ્ધ કરવાનો સરસ મોકો છે.

Continue reading
Share:
Reading time: 1 min
Entertainment

ગણપતિબાપાને વધાવો ઓટીટી સાથે

September 22, 2023 by egujarati No Comments
ફિલ્મોમાં ભગવાન અને ભગવાનને સાંકળી લેતી ફિલ્મોની આપણે ત્યાં કમી નથી. રિદ્ધિસિદ્ધિના સ્વામી ગણેશજીને ફિલ્મોમાં ખાસ્સા પ્રેમથી સ્થાન મળતું રહ્યું છે. એવી અમુક ફિલ્મોની યાદી પ્રસ્તુત છે જેની સાથે વણાયેલો છે બાપાનો મહિમા 

ગણપતિબાપા આવી ગયા છે. ફિલ્મોમાં પણ એમણે અનેકવાર આગમન કર્યું છે. બોલિવુડે બાપાને ઘણીવાર, ઘણી રીતે ખમ્મા કરી છે. ઓટીટી પર બાપાની ફિલ્મો જોવાનો આનંદ માણવાનો આ પરફેક્ટ સમય છે. વાત કરીએ એવી ફિલ્મોની જેમાં ગણેશોત્સવનો તહેવાર આગવી રીતે ઉજવાયો હોય અને જેને માણી શકાય છે ઓટીટી પર.

અગ્નિપથ: ઓરિજિનલ’ અગ્નિપથ’ ૧૯૯૦માં આવી હતી. સુપર ડિરેક્ટર મુકુલ આનંદે ડિરેકટ કરેલી અમિતાભ બચ્ચનને ચમકાવતી ત્રણ યાદગાર ફિલ્મોમાં એક ‘અગ્નિપથ’ હતી. એની રિમેક ૨૦૧૨માં આવી જેના દિગ્દર્શક કરણ મલ્હોત્રા હતા. હૃતિક રોશન, સંજય દત્ત, પ્રિયંકા ચોપરા અને રિશી કપૂર એમાં મુખ્ય પાત્રોમાં હતાં. બેશક, અસલ ‘અગ્નિપથ’ એકદમ જબરદસ્ત હતી. રિમેક પણ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. બેઉની તુલના તો વિવેચનનો વિષય એટલે એ કરવાનું રહેવા દઇએ. રીમેકમાં હૃતિક રોશનના પાત્ર વિજય દીનાનાથ ચવ્હાણને બાપાની પૂજા કરતું દેખાડવામાં આવ્યું છે. મૂળ ફિલ્મમાં પણ ગણેશજીનો મહિમા હતો. એનું ‘ગણપતિ અપને ગાંવ ચલે’, ગીત આજે પણ લોકજીભે છે. એની જગ્યાએ રીમેકમાં ‘દેવા શ્રીગણેશા’ ગીત છે. ફિલ્મને માણવા પહોંચી જાવ નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઇમ પર. ઉપરાંત એપલ ટીવી, યુટયુબ કે ગૂગલ પ્લે મૂવીઝ પર એ કિંમત ચૂકવીને જોઈ શકાય છે.

એબીસીડી: રેમો ડિસોઝાએ ડિરેકટ કરેલી આ ફિલ્મે, જેનું આખું નામ ‘એની બડી કેન ડાન્સ’ હતું, એણે રજૂઆત પછી સૌને ચકિત કરી દીધા હતા. એની પાસે કોઈને ખાસ અપેક્ષા નહોતી. પ્રભુ દેવા, ગણેશ આચાર્ય, કે. કે. મેનન અભિનિત આ ફિલ્મે રિલીઝ પછી તરખાટ મચાવ્યો હતો. ફિલ્મ સફળ હતી એ તો જાણે એક વાત, પણ એ અનેક રીતે હૃદયસ્પર્શી હતી એ એનાથી મોટી ખાસિયત. એના કલાઇમેક્સમાં આવતા નૃત્યમાં દુંદાળાદેવને સાંકળતું ગીત હતું, જેને કલાઇમેક્સને ચાર ચાંદ લગાડી દીધા હતા. ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકાય, અથવા નાણાં ચૂકવીને યુટયુબ કે ગૂગલ પ્લે મૂવીઝ પર.

વાસ્તવ: સંજય દત્ત, નમ્રતા શિરોડકર, પરેશ રાવલ, સંજય નાર્વેકર, રીમા લાગુ, દીપક તિજોરી જેવાં કલાકારોવાળી આ ફિલ્મ એના સમયની એક સૌથી સફળ ફિલ્મ હતી. સંજય દત્તની વારંવાર ઉપર અને નીચે જતી કારકિર્દીમાં જે અમુક ફિલ્મોએ કાયમી છાપ છોડી એમાંની એક ‘વાસ્તવ’ છે. એના દિગ્દર્શક મહેશ માંજરેકર હતા. એમની શ્રે ફિલ્મોમાં નિથશકપણે એક આ ફિલ્મ છે. એમાં ગણપતિની આરતી ‘શેંદૂર લાલ ચઢાયો અચ્છા ગજમુખ કો’ હતી. આજે પણ એ આરતી સર્વત્ર વાગે છે. એક સામાન્ય યુવાન કેવી રીતે અંડરવર્લ્ડના ચક્કરમાં પડીને બદલાઈ જાય છે એની ‘વાસ્તવ’ની વાર્તા જકડી રાખનારી છે. ફિલ્મ એમેઝોન પ્રાઇમ અને યુટયુબ પર ઉપલબ્ધ છે.

ડોન: શાહરુખ ખાનની ‘ડોન’ એટલે એ નામની જ અમિતાભની ફિલ્મની રિમેક. એમાં બાપાની વિદાય વખતનું ગીત ‘મોરયા રે’ હતું. એકદમ ખર્ચાળ અને ભવ્ય રીતે એને શૂટ કરવામાં આવ્યું હતું. ૨૦૦૬ની ફરહાન અખ્તર દિગ્દશત ફિલ્મ આ ગીત માટે યાદ આવે એ સ્વાભાવિક છે. આ ફિલ્મ પણ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ પર લવાજમ સાથે જોઈ  શકાય છે. અથવા એપલ ટીવી, યુટયુબ કે ગૂગલ પ્લે મૂવીઝ પર એકવાર જોવાની કિંમત ચૂકવીને જોઈ શકાય છે.

સત્યા: રામ ગોપાલ વર્માને ટોચના ડિરેક્ટર તરીકે પ્રસ્થાપિત કરનારી આ ફિલ્મમાં ઊમલા માતોંડકર સાથે ચક્રવર્તી અને મનોજ બાજપાયી હતાં. હીરો ચક્રવર્તી હતા પણ ફિલ્મ બની ગઈ મનોજની. બાજપાયી આ ફિલ્મથી એક અજાણ્યા કલાકારમાંથી આશાસ્પદ સ્ટાર બન્યા હતા. મુંબઈના અંડરવર્લ્ડને સૌથી વાસ્તવિક રીતે દર્શાવનાર ફિલ્મોમાં ‘સત્યા’ની ગણના થાય છે. ફિલ્મના અંતમાં ગણેશચતુર્થી બેકડ્રોપ તરીકે છે. સોની લિવ, યુટયુબ કે એમેઝોન પ્રાઇમ પર ફિલ્મ જોઈ શકાય છે. છેક ૧૯૯૮ની હોવા છતાં ફિલ્મ ૨૦૨૩માં પણ એટલી જ મજાની લાગશે જાણે તરોતાજા હોય. શેફાલી શાહ એમાં સત્યાની પત્ની તરીકે, ગોવિંદ નામદેવ ભાઉ તરીકે તો સૌરભ શુકલા કલ્લુ મામા તરીકે એકદમ જામે છે. ‘સપને મેં મિલતી હૈ’, ‘ગોલી માર ભેજે મેં’ સહિતનાં ફિલ્મનાં ગીતો પણ કમાલ છે.

Continue reading
Share:
Reading time: 1 min
Page 10 of 16« First...«9101112»...Last »

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

નાથદ્વારા બદલાઈ રહ્યું છે

November 20, 2022

વેલકમ 2023 આ વર્ષે ઓટીટી પર શું જોશો?

January 6, 2023
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

November 3, 2022

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

આમિરની વાત, બોલિવુડ પર ઘાત

આમિરની વાત, બોલિવુડ પર ઘાત

May 30, 2025
ઓટીટીનું સિનેમા ભક્ષણઃ ભૂલ ચૂક માફ હોં

ઓટીટીનું સિનેમા ભક્ષણઃ ભૂલ ચૂક માફ હોં

May 23, 2025
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.