Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Travel

દુબઈ સફરઃ ભાગ નવઃ પ્રગતિ અને યુએઈની ભાઈબંધી

November 23, 2022 by egujarati No Comments

એક વાત નક્કી છે. અમેરિકા કે યુરોપના રાગ તાણીને એમને સૌથી પ્રગતિશાળી ગણનારા લોકોને દુબઈની ક્ષમતાનો ખ્યાલ નથી. એવું જ ચીનનું છે જેને આપણે ભાંડતા હોઈએ છીએ. ચીન વિકસિત દેશોને છક્કડ ખવડાવે એવો દેશ છે. યુએઈની પ્રગતિ મુખ્યત્વે શાસકો અને પ્રજાની જીદ અને એમની કર્તવ્યપારાયણતાથી છે. નથી એ ઉત્પાદનક્ષેત્રે અવ્વલ કે નથી એની પાસે એવા નૈસર્ગિક ખજાના જેનાથી પ્રગતિ આસાન થાય. યુએઈ પાસે સૌથી મૂલ્યવાન છે વિઝન.

વિઝનની તાકાત પર યુએઈએએ અનેક મોરચે ઈર્ષ્યા કરાવે એવી પ્રગતિ સાધી છે. પચાસ વરસમાં ત્યાં સાક્ષરતાનું પ્રમાણ 48 ટકાથી વધીને 95 ટકા થયું છે. વિદ્યાર્થીઓમાં છોકરા-છોકરીઓ લગભગ સરખી સંખ્યામાં છે. જીડીપીના મામલે એ વિશ્વમાં સાતમા સ્થાને છે. 99 ટકા લોકો મોબાઇલ ધરાવે છે. હાઈ સ્પીડ ઇન્ટરનેટ આખા દેશમાં છે. 2019માં યુએઈના પ્રવાસીઓની સંખ્યા 1.67 કરોડ હતી. દુબઈ એરપોર્ટ વિશ્વનું એક સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. યુએઈની ફેડરલ નેશનલ કાઉન્સિલમાં સ્ત્રીઓનું પચાસ ટકા પ્રતિનિધિત્વ છે.
1970ના દાયકામાં સવાત્રણ લાખ જેટલું પશુધન ધરાવતા દેશમાં આજે પચાસ લાખથી વધુ પશુઓ છે. નામનો વરસાદ છતાં યુએઈમાં સૌને ચોવીસ કલાક પાણી મળે છે. વીજળીની સમસ્યા નથી. કાયદો અસરકારક છે. ગુના થાય પણ હીનતાની હદ વટાવનારા, રોજ અને અસંખ્ય થતા નથી. સરકાર કાર્યક્ષમ અને પ્રગતિલક્ષી છે. લોકોના જીવનમાં આડખીલી બનતા નિર્ણયો કે કામ કે બાધારૂપ ગંદું રાજકારણ સત્તાધીશો નથી રમતા.
ધાર્મિક નીતિ પણ સરાહનીય છે. સરકારમાં એક પ્રધાન ટોલરન્સ મિનિસ્ટર છે જે સર્વધર્મ સમભાવની ભાવના ટકી રહે એ માટે કામ કરે છે. દેશઘડતર માટે, પ્રજાની સુખાકારી, સમૃદ્ધિ માટે અનિવાર્ય ગુણો યુએઈએ આત્મસાત્ કર્યા છે. એની ભવિષ્યલક્ષી ગતિ તેજ છે. માનવધન વિના પ્રગતિ શક્ય નથી એ યુએઈ જાણે છે. એટલે એ વિદેશી ટેલેન્ટ સહર્ષ આવકારે છે. એ પણ ખરું કે વિદેશીઓ માટે વરસોના વૈતરાં પછી પણ સંપૂર્ણ નાગરિકત્વ મેળવું લગભગ ઇમ્પોસિબલ છે. યુએઈનું નાગરિકત્વ અરજી કરીને નહીં પણ રાજવી પરિવાર કે ઉચ્ચ અધિકારીની ભલામણથી મળી શકે છે. એ માટે ત્યાં 30 વરસનો વસવાટ, અરેબિક પર પ્રભુત્વ પણ જોઈએ.
નિવૃત્તિ પછી પેન્શન અને આર્થિક સુરક્ષિતતાના વિકલ્પો પણ નથી. એમાં ફેરફાર કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે. થાય ત્યારે ખરું. કોવિડકાળમાં માનવધનની ટંચાઈએ યુએઈને ઘણા પાઠ શીખવ્યા. એમાંથી કશુંક શીખીને એ વિદેશીઓને નાગરિકત્વ આપવાના મામલે નક્કર પ્રગતિ સાધશે એવી આશા રાખી શકાય. એમ થાય તો ત્યાં વસતા અનેકને નાગરિકત્વ સાથે વિશ્વના એક સૌથી પાવરફુલ એવા એમિરેટી પાસપોર્ટ ઉપરાંત અનેક લાભ અને સન્માન મળશે.

ત્યાં વસતા ભારતીયોને નિવૃત્તિ પછીની સિક્યોરિટીની ચિંતા હોય છે. તેઓ જે બચત કરે એનું ભારતમાં રોકાણ કરે છે. આવક રોકાણ થઈ શકે એટલી સારી ના હોય એમના માટે નિવૃત્તિ પછી શું એ પ્રશ્ન વિકરાળ બની જાય છે. એવા ભારતીયોની સંખ્યા નાનીસૂની નથી. સામાન્ય નોકરી ધરાવતો ભારતીય ત્યાં પાંચેક હજાર દિરહામની આવકે પહોંચે તો પણ રકમ થઈ એક લાખ રૂપિયા આસપાસ. યુએઈના ખર્ચ સામે એ જબ્બર આવક નથી. એમાંથી કરકસર કરીને જે બચે એ બચે. પણ બે-અઢી અને ત્રણ હજાર દિરહામ આવક ધરાવતા ભારતીયો ઝાઝા છે.

યુવાનવયે ત્યાં જનારે અગવડ વચ્ચે રહેવાની તૈયારી રાખવી પડે છે. એણે બીજા કર્માચારીઓ સાથે સંકડાશમાં રહેવું પડે. કામકાજના કલાકો પણ વધારે હોઈ શકે. વ્હાઇટ કૉલર જૉબ્સ માટે યુએઈ જેટલું ઉપયુક્ત છે એટલું કદાચ બ્લ્યુ કૉલર જૉબ્સ માટે નથી. છતાં, વિદેશ વસવાની લાલચ અને અહીં કરતાં થોડા વધારે કમાવાની ગણતરી ભારતીયોને ત્યાં ખેંચી જાય છે. એ લોકોને કંપની તરફથી રહેવાની અને ભોજનની સગવડ મળ્યે ઠીકઠીક બચત થાય છે. એ જો પોતે કરવાનું આવ્યું તો બચત અઘરી થઈ જાય.
વેપારના મામલે એવી સમજણ છે કે દુબઈમાં કોઈ સીધા કર નથી. વાત સાચી પણ સિચ્યુએશન જલદી બદલાવાની છે. એની પૂર્વતૈયારી વરસોથી થઈ રહી હતી. સરકાર વેપારીઓ પાસેથી લેતીદેતીનો સવિસ્તર રેકોર્ડ એ માટે એકત્રિત કરી રહી હતી. હવે જૂન 2023 પછી ગમે ત્યારે સીધો કર લાગુ પડશે. નવા નિયમ અનુસાર પોણાચાર લાખથી વધુ દિરહામનો નફો ધરાવતા બિઝનેસે નવ ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. મતલબ 80 લાખ રૂપિયાથી વધુનો નફો કરતી કંપનીઓએ કર આપવો પડશે. એથી દુબઈમાં બિઝનેસ કરવો મોટી કંપનીઓ માટે થોડો મુશ્કેલ થશે કેમ કે નફાશક્તિ પર અસર પડશે જ.
Continue reading
Share:
Reading time: 1 min
Travel

દુબઈ સફરઃ ભાગ આઠઃ મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર

November 22, 2022 by egujarati No Comments

અમારી વિઝિટ વખતે દુબઈ નાં અમુક પર્યટનસ્થળો જાહેર જનતા ખુલ્યાં નહોતાં. કોવિડકાળ પછી સ્થિતિ સામાન્ય થઈ રહી છે પણ સંપૂર્ણપણે સામાન્ય થવાની બાકી છે. અમે દુબઈમાં પગ મૂક્યો હતો એ દિવસે સરકારે ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ હટાવ્યો હતો. એથી અમે માસ્ક પહેરવાથી છૂટ્યાં પણ એવા ઘણા હતા જેમની માસ્ક પહેરવાની આદત અકબંધ હતી.

મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર

શહેરના મરીના વિસ્તારના બ્લ્યુવોટર્સ આઇલેન્ડ સ્થિત ઐન દુબઈ ફેરીસ વ્હીલ ખુલ્યું નહોતું. ગ્લોબલ વિલેજ અને મિરેકલ ગાર્ડન પણ બંધ હતાં. લેગોલેન્ડ ખુલેલું પણ બાળકો સાથે હોય તો એ માણી શકાય. અબુધાબીનું બુકિંગ હતું પણ આગલા દિવસે એજન્ટનો ફોન આવ્યો કે શેખ ઝાયેદ ગ્રાન્ડ મોસ્ક (મસ્જિદ) અને એમિરેટ્સ પેલેસમાં પ્રવેશ નથી. કોવિડના નિયમોથી લોચો પડ્યો. મુલાકત રદ કરી. એક ચીજ અમે જાતે જતી કરી, ધાઉ ક્રૂઝ. ફરી ક્યારેક જશું તો માણી લેશું. જૂન મહિનામાં જ ખુલેલી મહમ્મદ બિન રાશીદ લાઇબ્રેરી ફેસ્ટિવલ સિટી મૉલ પાસે હતી. એની ઇમારત જાણે એક પુસ્તક! એના વિશે ઇન્ટરનેટ પણ વાંચી ત્યાં જવા તલપાપડ હતો. 30 સપ્ટેમ્બરે વિશ્વ ભાષાંતર દિવસે ઇવેન્ટ પણ હતી. એ દિવસનો અમારો કાર્યક્રમ આગોતરો નક્કી હોવાથી યોગ ના થયો. દુબઈના નેક્સ્ટ પ્રવાસમાં આખો દિવસ લાઇબ્રેરીને નામ થશે. ત્યાંની ભવ્ય મસ્જિદો માટે પણ પાકું આયોજન થશે.
માણેલી એક નોંધપાત્ર જગ્યા મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર હતી. શેખ ઝાયેદ રોડ સ્થિત ટ્રેડ સેન્ટર ટુ પાસે એ સ્થિત છે. ફેબ્રુઆરીમાં એ ખુલ્લું મુકાયું છે. એની ઇમારત સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો છે. 77 મીટર ઊંચી ઇમારતનો કુલ વિસ્તાર 30,0000 ચોરસ મીટર છે. એમાં પિલર નથી. નિર્માણમાં નવેક વરસનો સમય લાગ્યો છે. વિશ્વની એ સૌથી ધ્યાનાકર્ષક ઇમારત ગણાઈ રહી છે. ડિઝાઇન છે કિલ્લા ડિઝાઇન આર્કિટેક્ચર સ્ટુડિયોના નિષ્ણાતોની. ઇમારતના મોખરાના એટલે બહારના ભાગ પર દુબઈના શાસકે લખેલી અરેબિક કવિતાની કેલિગ્રાફી છે.
મ્યુઝિયમ મુખ્યત્વે રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં થતી પ્રગતિને દર્શાવે છે. શહેરી જીવન સારું બનાવવા ભવિષ્યમાં શું થઈ શકે એ માટે એ થિન્કિંગ સેન્ટરની ગરજ પણ સારશે. એના પર કંડારાયેલા શેખ મહમ્મદ બિન રાશીદ અલ મખ્તોમના શબ્દોનો સાર આ પ્રમાણે છેઃ
“આપણે ભલે સો વરસ ના જીવીએ પણ એવું કશુંક જરૂર સર્જી શકીએ છીએ જે સેંકડો વરસ ટકે.”
“ભવિષ્ય એમનું છે જેઓ વિચાર, ડિઝાઇન અને નિર્માણ કરી શકે છે. ભવિષ્ય પ્રતીક્ષા કરતું નથી. એને આજે ડિઝાઇન કરીને ઘડવાનું હોય છે.”
“જીવનના નૂતનીકરણ, સમાજની પ્રગતિ અને માનવતાના વિકાસને એકતાંતણે બાંધતો શબ્દ છેઃ આવિષ્કાર.”
એની ઇમારત વટેમાર્ગુઓને પણ છક્ક કરનારી છે. એમાં સાત માળ છે. અમારી મુલાકાત બપોરે હતી. અમે સ્પેસશિપ જેવી લિફ્ટથી ત્રીજા માળે પહોંચ્યાં. અમારે 2071ની સાલનું બાહ્ય વિશ્વદર્શન કરવાનું હતું. મુલાકાતીઓને સમજવામાં અનુકૂળતા રહે એ માટે અનાઉન્સર હતા. પૃથ્વીથી આગળની દુનિયાનો આ અનુભવ આહ્લાદક હતો. અમુક ગેજેટ્સ થકી ફોટો લઈ પોતાને સ્પેસ ટ્રાવેલર તરીકે જોવાની પણ મજા પડી.
આગળના વિભાગ રસપ્રદ હતા. પર્યાવરણ, પંચતત્ત્વો વગેરે સાંકળતી બાબતો મુખ્ય હતી. ટેક્નોલોજી થકી તમામ ચીજો સાકાર થઈ રહી હતી. એક વિભાગ હતો લાઇબ્રેરી ઓફ લાઇફ જેમાં અસંખ્ય જીવોના (કાલ્પનિક) ડીએનએ કાચની બરણીઓમાં હતાં. અંઘારા વચ્ચે વિવિધરંગી રોશનીથી એ વિભાગ અનોખો લાગી રહ્યો હતો. એક વિભાગમાં ઇન્દ્રિયોની શક્તિની વાતો ઉજાગર કરાઈ છે. અનેક લોકોનો ઓમ્ જેવો ઉચ્ચાર ભેગો થાય તો ધ્વનિશક્તિના વિલીનીકરણથી શું થાય એ દર્શાવાયું હતું. મ્યુઝિયમની ખાસિયતોનું શાબ્દિક વર્ણન અઘરું છે કેમ કે એ અનુભૂતિની ચીજો હતી.
Continue reading
Share:
Reading time: 1 min
Entertainment

આવનારી ક્ષણ ચકિત કરી દે તો રાજી રહો

November 21, 2022 by egujarati No Comments

આવનારી ક્ષણ ચકિત કરી દે તો રાજી રહો

બંધિયાર બાબત ક્યારેય સારી હોતી નથી. એકના એક ઠામમાં પડયું પાણી ગંધાવા માંડે છે. બંધ ઓરડાની હવા અજંપો સર્જે છે. બંધિયાર જિંદગી માણસને નબળું પાડે છે. પરિવર્તન, અનિશ્ચિતતા અને અકળતા જીવનને રોચક બનાવે છે. અણધારી ઘટના કાયમ અણગમતી કે નુકસાનદાયી હોતી નથી. ટૂંકા અથવા લાંબા ગાળે પણ એમાંથી કશુંક ઉપજે અને એ લાભદાયી હોઈ પણ શકે છે. બોસ ક્યારેક ટપારે એમાં પણ ફાયદો હોઈ શકે છે.

ક્યારેક ભાવતું ભોજન ના મળે એ પણ સારો સંકેત હોઈ શકે છે. અનિશ્ચિતતાની ઉત્તેજના જીવનનું મેેઘધનુષ છે. બધું લયબદ્ધ અને ગણતરીપૂર્વક ચાલે એમાં મજા નથી. ઈશ્વર માપસર ઠંડી, ગરમી કે વરસાદ આપતો નથી. માપસર જીવવા મળે તો જીવન વાસ્તવમાં જીવન નહીં, નરી ફોર્મ્યુલા બની જાય. ખુશી એ માણો કે બધું અપેક્ષા પ્રમાણે નથી ચાલતું. આવનારી ક્ષણ ચકિત કરી દે તો રાજી રહો. નિશ્ચિત રિધમ એટલે બંધિયારપણું. એ જાય તો જાદુ થાય. એક નહીં, સો વખત થાય. થવા દો જાદુ અને માણો જીવન.

– સંજય વિ. શાહ

Share:
Reading time: 1 min
Travel

નાથદ્વારાની તસવીરી ઝલક

November 20, 2022 by egujarati No Comments
Share:
Reading time: 1 min
Travel

નાથદ્વારા બદલાઈ રહ્યું છે

November 20, 2022 by egujarati 2 Comments

નાથદ્વારા બદલાઈ રહ્યું છે.

ઠાકોરજીના નગરમાં 369 ફૂટની શિવજીની વિશ્વાસ સ્વરૂપમ પ્રતિમા અનાવરિત થઈ એટલે આવું નથી લખ્યું. એ બેશક સોનામાં સુગંધ ભળવા જેવું  છે. મુકેશભાઈએ દેશમાં ફાઇવ-જી ટેક્નોલોજી સૌપ્રથમ નાથદ્વારામાં લૉન્ચ કરી એટલે પણ આવું નથી લખ્યું. નાથદ્વારા ધીમી પણ મક્કમ ગતિએ નવો અવતાર લઈ રહ્યું છે. ઘણું બઘું હજી ઠેરનું ઠેર છતાં ઘણાં પરિવર્તન અને સુધારા દેખીતાં છે.

નાથદ્વારા…

વૈષ્ણવોના સૌથી લાડલા શ્રીનાથજી. કૃષ્ણ ભગવાનનું સાત વરસનું સોણલું સ્વરૂપ શ્રીનાથજી. બનાસ નદીના કાંઠે આવેલા નાથદ્વારાનું નામ ક્યારેક, મુદ્દે સત્તરમી સદીમાં સિંહદ હતું. સિંહદ ગામે શ્રીનાથજી વસ્યા અને એ નાથદ્વારા બન્યું.

નાથદ્વારા જવું મનને પ્રફુલ્લિત કરે છે. એની હવામાં કંઈક તો છે જે નિરાંત કરાવે અને નિરાશા દૂર ભગાવે છે. જીવન રિચાર્જ કરવા જ્યાં પરમાત્મા, પ્રકૃતિ, સંસ્કૃતિ અને સ્વ સાથે નિકટતા અનુભવાય એવા નાથદ્વારા જેવા સ્થળે જવાની આપણી વૃત્તિ પોકળ થઈ રહી છે. થેન્કફુલી, હું એ પેઢીનો પ્રતિનિધિ છું જેને મન શહેરની ભૌતિકતાભરી લહેર સર્વસ્વ નથી. ગામડું, પર્યાવરણ, સરળતા, સમતા જેવી બાબતો મને 2022માં પણ સાચી મિરાત લાગે છે. 

આ વખતની નાથદ્વારાની જાત્રા પણ ખાસ રહી. રાજસમંદ જિલ્લાના આ નાનકડા નગરમાં જાત્રાળુઓ માટે બહેતર સુવિધાઓ ઊભી કરવા ફાઇનલી કમર કસવામાં આવી છે એ જણાઈ આવે છે. દર્શન કરવામાં પડતી હડિયાપટ્ટી ઓછી થયાનું સાનંદાશ્ચર્ય અને ખુશી પણ થઈ. છેલ્લા થોડા સમયથી જોકે એવાં ધર્મસ્થળોએ જવાનું માંડી વાળવાનો સ્વભાવ કેળવ્યો છે જ્યાં દર્શન ઓછાં અને હડિયાપટ્ટી ઝાઝી હોય. ત્યાં વસતા ભગવાનને મનોમન ભજી લઉં અને સમજું કે જાત્રા થઈ ગઈ. ભગવાને એવું ક્યાંય ફરમાવ્યું નથી કે દર્શન કરવા ત્રાસ સહન કરવાનો. કણકણમાં ભગવાનની સંસ્કૃતિવાળા દેશમાં કોણે કહ્યું કે ચોક્કસ જગ્યાએ જ ભગવાન બિરાજે છે? 

Continue reading
Share:
Reading time: 1 min
Page 31 of 34« First...1020«30313233»...Last »

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

નાથદ્વારા બદલાઈ રહ્યું છે

November 20, 2022

વેલકમ 2023 આ વર્ષે ઓટીટી પર શું જોશો?

January 6, 2023
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

November 3, 2022

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

ટનાટન ફિલ્મ ‘ટુરિસ્ટ ફેમિલી’

ટનાટન ફિલ્મ ‘ટુરિસ્ટ ફેમિલી’

June 27, 2025
આપણે ઓનલાઇન, જીવન ઓફ્ફલાઇન?

આપણે ઓનલાઇન, જીવન ઓફ્ફલાઇન?

June 20, 2025
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.