Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Entertainment

ગન્સ ગરજતી નથી, ગુલાબ્સ મધમધતાં નથી

November 3, 2023 by egujarati No Comments

 

દરેક સર્જક વીતેલા સમયની વાર્તા સચોટ રજૂ કરી શકતા નથી. રાજ અને ડી.કે.ની આ સિરીઝમાં એમનો ટચ વર્તાતો નથી. માત્ર તેઓ નહીં, બીજા કેટલાક સર્જકો પણ પિરિયડ ડ્રામા ખેડીને ઊણા સાબિત થયા છે

રાજ અને ડી.કે.એ ઓટીટી પર સતત સફળતા નિહાળી છે. સૌથી મોટી ‘ફેમિલી મેન’માં. એ સિવાય ‘ફર્ઝી’ સિરીઝ અને તેલુગુ ફિલ્મ ‘સિમેના બાંદી’ એમનાં નોંધપાત્ર સર્જન છે. એમની સિરીઝ ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’ ઉત્સાહિત થઈને જોવા બેસવું સ્વાભાવિક છે. રાજકુમાર રાવ, દુલકર સલમાન, ગુલશન દેવૈયા, શ્રેયા ધનવંતરાય જેવાં કલાકારો હોય ત્યારે ઉત્સાહ બમણો થઈ જાય. તો, સાત એપિસોડની સીઝન વનમાં શું છે?

વાર્તા છે ઉત્તર ભારતના ગુલાબગંજ નગરની. અફીણની ખેતી માટે એ કુખ્યાત છે. ગુલાબગંજમાં સરકારી અફીણ ઉગાડતા મુઠ્ઠીભર ખેડૂતો વચ્ચે ગેરકાનૂની ખેતી કરનારા પણ છે. ગેરકાનૂની અફીણ ખરીદે છે ગુંડો ઘાંચી (સતીશ કૌશિક). એના હાથ નીચે, દીકરાની જેમ ઉછરેલો નાબીદ (નીલેશ દીવેકર) હવે એનો હરીફ છે. એ છે પાસેના શેરપુરમાં. ઘાંચીના બે નંબરી ધંધાની સરકારી ઢાલ છે પોલીસ અધિકારી મિશ્રા (જોગી મલંગ). ઘાંચીના ઓરતા છે દીકરો છોટુ (આદર્શ ગૌરવ) વારસ બને. મહેન્દ્ર (વિપિન શર્મા) સૌથી વિશ્વાસુ માણસ છે.

ગુલાબગંજમાં ટિપુ (રાજકુમાર રાવ) ગેરેજમાં કામ કરે છે. એના પિતા ઘાંચીના વિશ્વાસુ હતા. સિરીઝની શરૂઆત ટિપુના પિતાની શત્રુના હાથે થયેલા મોતથી થાય છે. ટિપુ શિક્ષિકા ચંદ્રલેખા (ટી.જે. ભાનુ પાર્વતીમૂત)ના પ્રેમમાં છે, જેના મોહમાં વિદ્યાર્થી ગંગારામ (તાનિશ્ક ચૌધરી) પણ છે. ટિપુને બાપના પગલે ચાલવામાં નહીં, પોતાનું ગેરેજ ઊભું કરવાનાં શમણાં છે. સંજોગો એને કેવી રીતે ઘાંચીનો વિશ્વાસુ બનવા તરફ વાળે છે એની વાત છે સિરીઝમાં.

પહેલા એપિસોડથી ખોરવાઈ જતી સિરીઝ સાત એપિસોડ સુધી થાળે પડતી નથી. હ્યુમર-થ્રિલરનો મેળ પાડવામાં લોચા ઊભા થતા રહે છે. ટ્વિસ્ટ અને ટર્ન્સના નામે આત્મારામ ઉર્ફે ચાર કટ (દેવૈયા) અને યામિની (શ્રેયા), નવનિયુક્ત પોલીસ અધિકારી અર્જુન વર્મા  (સલમાન દુલકર) અને કલકત્તાનો અફીણનો મોટો દાણચોર સુકાંતો (રાજજતવ દત્તા)  જેવાં પાત્રો ઉમેરાતાં રહે છે. બેશક, સિરીઝમાં દર્શકોને જકડી રાખતી પળો છે પણ નામની જ. સુકાંતોનો ટ્રેક, ટિપુ-લેખાનો ટ્રેક, ઘાંચીનું આઈસીયુમાં પહોંચી જવું, ઢાબાનાં અને ચાર કટનાં દ્રશ્યો… બધું પ્લાસ્ટિક છે. સૌથી અગત્યનું એટલે ટિપુ કે અર્જુન જેવાં બે મુખ્ય પાત્રો ટલ્લે ચઢેલાં છે.

Continue reading
Share:
Reading time: 1 min
Entertainment

કલાકાર-કસબીનો સાચ્ચે જ સુવર્ણકાળ ચાલી રહ્યો છે

August 1, 2023 by egujarati No Comments

ઓટીટીએ જે કર્યું છે એ ફિલ્મો અને ટીવી સિરિયલ્સ કદાચ વરસો અને દાયકાઓ સુધી કરી શકી નથી. મુઠ્ઠીભર કલાકાર-કસબીઓને જ માથે બેસાડીને પૂજવાની મનોરંજનનાં એ બે માધ્યમોથી સાવ જુદો ચીલો ઓટીટીએ ચાતર્યો છે. એનાં મસ્ત પરિણામ સૌની સામે છે

 મનોજ બાજપાયી આમ તો ‘સત્યા’ના સમયથી જાણીતા સ્ટાર. બિહારના ચંપારણ જિલ્લાના નાનકડા ગામ બેલવામાં જન્મેલા આ સિતારાએ ચોથા ધોરણ સુધી કુટિરમાં ચાલતી શાળામાં અભ્યાસ કર્યો. સત્તર વરસની ઉંમરે દિલ્હી ગયા. ત્યાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ નહીં મળતાં આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. પછી બેરી જોનની ઇન્સ્ટિટ્યૂટમાં અભિનયના પાઠ ભણ્યા. ચાર વખત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશના નિષ્ફળ પ્રયાસ પછી ત્યાં જ એમને શિક્ષક તરીકે કામ મળ્યું. 1994માં ગોવિંદ નિહલાનીની ફિલ્મ ‘દ્રોહકાલ’માં એક મિનિટનો રોલ અને એ વરસે જ શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વીન’માં નાનકડો પણ મહત્ત્વનો રોલ ભજવ્યો. પછી અન્ય પરચૂરણ પાત્રો, ઓછા દામમાં ટીવી સિરિયલમાં કામ કરવાની તૈયારી અને 1997ની રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘દૌડ’માં નાનકડું પાત્ર મળવા સાથે રામુને લાગ્યું કે આ તો ટેલેન્ટનો બોમ્બ છે. એમાંથી ‘સત્યા’માં ભીકુ મ્હાત્રે બનવાની તક અને…

મનોજે એ પછી પાછું વળીને જોવાનો વારો નહીં આવ્યો છતાં, હકીકત એ ખરી કે બોલિવુડમાં એમની ટેલેન્ટનો ઉપયોગ ઓછો થયો. એટલે જ ઓટીટી પર જબ્બર નામ અને સફળતા મેળવીને તેઓ ખુશખુશાલ છે. તેઓએ કહ્યું છે, “ઓટીટીએ અમ કલાકારો માટે નવાં દ્વાર ઉઘાડી આપી મનોરંજનની દુનિયા નવી રીતે ખેડવાના વિકલ્પ આપ્યા છે.” એમની વાતમાં દમ છે. ઓટીટી વિના અનેક કલાકારો એ સ્થાને પહોંચી શક્યા ના હોત જ્યાં તેઓ છે.

ઓટીટીએ કલાકારોને ટાઇપકાસ્ટ થવાના ભયથી પણ મુક્ત કર્યા છે. એક સમયે ફિલ્મી કલાકારોને એવો ભય ટેલિવિઝનના નામથી લાગતો. અમિતાભ બચ્ચને પહેલીવાર ‘કૌન બનેગા કરોડપતિ’ હોસ્ટ કર્યો હતો ત્યારે ગણગણાટ થયો હતો કે લો, આમની કારકિર્દી પતી ગઈ. થયું સાવ ઊંધું. ‘કેબીસી’એ સ્ટાર પ્લસને તારવા સાથે બિગ બીની કરિયરને નવી ઉડાન ભરતી કરી આપી.

ઓટીટીએ આવું કંઈક ઘણા કલાકારો માટે કર્યું છે. ફિલ્મોમાં અને ટીવીમાં જેમનો ખાસ ગજ વાગતો નહોતો, દમદાર પાત્રો મળતાં નહોતાં એવા પ્રતિભાવંત કલાકારોને ઓટીટીએ ઝળકાવ્યા છે. આ કલાકારો હવે લોકહૃદયમાં બિરાજવા સાથે તગડી આવક રળે છે. ઘણાને ઓટીટીએ પ્રાદેશિકથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ બનાવ્યા છે. અમુક એવા છે જેમની કરિયર ઓટીટી અને ઓનલાઇન માધ્યમોને જ આભારી છે.

Continue reading
Share:
Reading time: 1 min

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

નાથદ્વારા બદલાઈ રહ્યું છે

November 20, 2022

વેલકમ 2023 આ વર્ષે ઓટીટી પર શું જોશો?

January 6, 2023
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

November 3, 2022

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

ઓટીટીનું સિનેમા ભક્ષણઃ ભૂલ ચૂક માફ હોં

ઓટીટીનું સિનેમા ભક્ષણઃ ભૂલ ચૂક માફ હોં

May 23, 2025
ગ્રામ ચિકિત્સાલયઃ પરફેક્ટ નિરાશાલય

ગ્રામ ચિકિત્સાલયઃ પરફેક્ટ નિરાશાલય

May 16, 2025
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.