Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Travel

દુબઈ સફરઃ ભાગ નવઃ પ્રગતિ અને યુએઈની ભાઈબંધી

November 23, 2022 by egujarati No Comments

એક વાત નક્કી છે. અમેરિકા કે યુરોપના રાગ તાણીને એમને સૌથી પ્રગતિશાળી ગણનારા લોકોને દુબઈની ક્ષમતાનો ખ્યાલ નથી. એવું જ ચીનનું છે જેને આપણે ભાંડતા હોઈએ છીએ. ચીન વિકસિત દેશોને છક્કડ ખવડાવે એવો દેશ છે. યુએઈની પ્રગતિ મુખ્યત્વે શાસકો અને પ્રજાની જીદ અને એમની કર્તવ્યપારાયણતાથી છે. નથી એ ઉત્પાદનક્ષેત્રે અવ્વલ કે નથી એની પાસે એવા નૈસર્ગિક ખજાના જેનાથી પ્રગતિ આસાન થાય. યુએઈ પાસે સૌથી મૂલ્યવાન છે વિઝન.

વિઝનની તાકાત પર યુએઈએએ અનેક મોરચે ઈર્ષ્યા કરાવે એવી પ્રગતિ સાધી છે. પચાસ વરસમાં ત્યાં સાક્ષરતાનું પ્રમાણ 48 ટકાથી વધીને 95 ટકા થયું છે. વિદ્યાર્થીઓમાં છોકરા-છોકરીઓ લગભગ સરખી સંખ્યામાં છે. જીડીપીના મામલે એ વિશ્વમાં સાતમા સ્થાને છે. 99 ટકા લોકો મોબાઇલ ધરાવે છે. હાઈ સ્પીડ ઇન્ટરનેટ આખા દેશમાં છે. 2019માં યુએઈના પ્રવાસીઓની સંખ્યા 1.67 કરોડ હતી. દુબઈ એરપોર્ટ વિશ્વનું એક સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. યુએઈની ફેડરલ નેશનલ કાઉન્સિલમાં સ્ત્રીઓનું પચાસ ટકા પ્રતિનિધિત્વ છે.
1970ના દાયકામાં સવાત્રણ લાખ જેટલું પશુધન ધરાવતા દેશમાં આજે પચાસ લાખથી વધુ પશુઓ છે. નામનો વરસાદ છતાં યુએઈમાં સૌને ચોવીસ કલાક પાણી મળે છે. વીજળીની સમસ્યા નથી. કાયદો અસરકારક છે. ગુના થાય પણ હીનતાની હદ વટાવનારા, રોજ અને અસંખ્ય થતા નથી. સરકાર કાર્યક્ષમ અને પ્રગતિલક્ષી છે. લોકોના જીવનમાં આડખીલી બનતા નિર્ણયો કે કામ કે બાધારૂપ ગંદું રાજકારણ સત્તાધીશો નથી રમતા.
ધાર્મિક નીતિ પણ સરાહનીય છે. સરકારમાં એક પ્રધાન ટોલરન્સ મિનિસ્ટર છે જે સર્વધર્મ સમભાવની ભાવના ટકી રહે એ માટે કામ કરે છે. દેશઘડતર માટે, પ્રજાની સુખાકારી, સમૃદ્ધિ માટે અનિવાર્ય ગુણો યુએઈએ આત્મસાત્ કર્યા છે. એની ભવિષ્યલક્ષી ગતિ તેજ છે. માનવધન વિના પ્રગતિ શક્ય નથી એ યુએઈ જાણે છે. એટલે એ વિદેશી ટેલેન્ટ સહર્ષ આવકારે છે. એ પણ ખરું કે વિદેશીઓ માટે વરસોના વૈતરાં પછી પણ સંપૂર્ણ નાગરિકત્વ મેળવું લગભગ ઇમ્પોસિબલ છે. યુએઈનું નાગરિકત્વ અરજી કરીને નહીં પણ રાજવી પરિવાર કે ઉચ્ચ અધિકારીની ભલામણથી મળી શકે છે. એ માટે ત્યાં 30 વરસનો વસવાટ, અરેબિક પર પ્રભુત્વ પણ જોઈએ.
નિવૃત્તિ પછી પેન્શન અને આર્થિક સુરક્ષિતતાના વિકલ્પો પણ નથી. એમાં ફેરફાર કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે. થાય ત્યારે ખરું. કોવિડકાળમાં માનવધનની ટંચાઈએ યુએઈને ઘણા પાઠ શીખવ્યા. એમાંથી કશુંક શીખીને એ વિદેશીઓને નાગરિકત્વ આપવાના મામલે નક્કર પ્રગતિ સાધશે એવી આશા રાખી શકાય. એમ થાય તો ત્યાં વસતા અનેકને નાગરિકત્વ સાથે વિશ્વના એક સૌથી પાવરફુલ એવા એમિરેટી પાસપોર્ટ ઉપરાંત અનેક લાભ અને સન્માન મળશે.

ત્યાં વસતા ભારતીયોને નિવૃત્તિ પછીની સિક્યોરિટીની ચિંતા હોય છે. તેઓ જે બચત કરે એનું ભારતમાં રોકાણ કરે છે. આવક રોકાણ થઈ શકે એટલી સારી ના હોય એમના માટે નિવૃત્તિ પછી શું એ પ્રશ્ન વિકરાળ બની જાય છે. એવા ભારતીયોની સંખ્યા નાનીસૂની નથી. સામાન્ય નોકરી ધરાવતો ભારતીય ત્યાં પાંચેક હજાર દિરહામની આવકે પહોંચે તો પણ રકમ થઈ એક લાખ રૂપિયા આસપાસ. યુએઈના ખર્ચ સામે એ જબ્બર આવક નથી. એમાંથી કરકસર કરીને જે બચે એ બચે. પણ બે-અઢી અને ત્રણ હજાર દિરહામ આવક ધરાવતા ભારતીયો ઝાઝા છે.

યુવાનવયે ત્યાં જનારે અગવડ વચ્ચે રહેવાની તૈયારી રાખવી પડે છે. એણે બીજા કર્માચારીઓ સાથે સંકડાશમાં રહેવું પડે. કામકાજના કલાકો પણ વધારે હોઈ શકે. વ્હાઇટ કૉલર જૉબ્સ માટે યુએઈ જેટલું ઉપયુક્ત છે એટલું કદાચ બ્લ્યુ કૉલર જૉબ્સ માટે નથી. છતાં, વિદેશ વસવાની લાલચ અને અહીં કરતાં થોડા વધારે કમાવાની ગણતરી ભારતીયોને ત્યાં ખેંચી જાય છે. એ લોકોને કંપની તરફથી રહેવાની અને ભોજનની સગવડ મળ્યે ઠીકઠીક બચત થાય છે. એ જો પોતે કરવાનું આવ્યું તો બચત અઘરી થઈ જાય.
વેપારના મામલે એવી સમજણ છે કે દુબઈમાં કોઈ સીધા કર નથી. વાત સાચી પણ સિચ્યુએશન જલદી બદલાવાની છે. એની પૂર્વતૈયારી વરસોથી થઈ રહી હતી. સરકાર વેપારીઓ પાસેથી લેતીદેતીનો સવિસ્તર રેકોર્ડ એ માટે એકત્રિત કરી રહી હતી. હવે જૂન 2023 પછી ગમે ત્યારે સીધો કર લાગુ પડશે. નવા નિયમ અનુસાર પોણાચાર લાખથી વધુ દિરહામનો નફો ધરાવતા બિઝનેસે નવ ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. મતલબ 80 લાખ રૂપિયાથી વધુનો નફો કરતી કંપનીઓએ કર આપવો પડશે. એથી દુબઈમાં બિઝનેસ કરવો મોટી કંપનીઓ માટે થોડો મુશ્કેલ થશે કેમ કે નફાશક્તિ પર અસર પડશે જ.
Continue reading
Share:
Reading time: 1 min
Travel

દુબઈ સફરઃ ભાગ ત્રણઃ માર્ગ વ્યવસ્થાપન

November 4, 2022 by egujarati No Comments
આજે વાત કરીએ દુબઈના રસ્તા, વટેમાર્ગુ, ટેક્સીની
ભારતમાં આપણે આડેધડ વાહનો ચલાવવામાં અને મનફાવે તેમ રસ્તા ઓળંગવામાં ગોલ્ડ મેડલિસ્ટ છીએ. વાંક આપણી પછાત વિચારધારાનો અને નહીં સુધરવાના પ્રણનો છે. વસતિનો વાંક કાઢવો યોગ્ય નથી. વસતિ ચીનમાં પણ છે. ત્યાં માર્ગ અને વાહન સંબંધે શિસ્ત છે. શ્રીલંકા આપણાથી પછાત છતાં ત્યાંની માર્ગશિસ્ત આપણને શરમાવે એવી છે. ઉઝબેકિસ્તાન એક રીતે નગણ્ય દેશ છતાં ત્યાં પણ શિસ્ત છે. મને આ દેશોમાં માર્ગશિસ્તનો જાતઅનુભવ છે. બીજા દેશો પણ મેં જોયા છે અને બહુધા એ સૌ આપણાથી સારા છે.
આપણે ઘણી બાબતે નહીં સુધરનારી પ્રજા છીએ. વડા પ્રધાન મોદીએ પહેલીવાર રાષ્ટ્રધુરા સંભાળતા સ્વચ્છ ભારતની હાકલ કરી હતી. એની કંઈક અંશે અસર થઈ પણ, આ કેવું રાષ્ટ્ર જ્યાં સ્વચ્છતા માટે સર્વોચ્ચ પદે બિરાજમાને વિનંતીગંગા વહાવવી પડે? પછી પણ એવી સ્વચ્છતા નથી જ જેના માટે પોરસાઈ શકાય. વાંક સત્તાધીશોનો પણ છે. એક્સપ્રેસવે છતાં દેશમાં એક-બે કિલોમીટર બિલકુલ ખાડા વિનાનો માર્ગ જડતો નથી. મોટાભાગના એક્સપ્રેસવે પ્રદીર્ઘ ટકે એવા નથી. સામાન્ય માર્ગો તો સાવ ક્ષુલ્લક. મુંબઈમાં એટલા વાહિયાત રસ્તા છે કે વાહન અને વટેમાર્ગુ બેઉ સતત ભયના ઓથારતળે રહે. દેશમાં રસ્તાની આવી દયનીય સ્થિતિ હોય ત્યાંથી વિદેશના ચકાચક, શિસ્તબદ્ધ રસ્તા જોતા એની સરાહના થઈ જાય.
યુએઈમાં પહેલો પગ મૂક્યો હતો મધરાત પછી. એ પણ ઓછી વિકસિત અને ઓછી જાણીતી એમિરેટ રાસ અલ ખૈમામાં. મુખ્ય મુકામ દુબઈ હતો. રાસ અલ ખૈમાથી દુબઈ બાય રોડ ઉમ અલ ક્વૈન, અજમન અને શારજાહ એમ ત્રણ એમિરેટ્સ વટાવી હતી. પહેલી રાતે ખ્યાલ આવી ગયો કે આ દેશ માર્ગના મામલે અવ્વલ છે. અબુધાબીથી રાસ એલ ખૈમા વચ્ચે ઈ-311 એટલે શેખ મહમ્મદ બિન ઝાયેદ માર્ગ પથરાયેલો છે. દેશનો એ સૌથી લાંબો મહામાર્ગ મીનમેખ વિનાનો છે.
એમ નહીં સમજતા કે આવા રસ્તા બનાવતા એ દેશને દાયકાઓ લાગ્યા હશે. 1980ના દાયકા સુધી યુએઈમાં રસ્તા બિસમાર હતા. 1980ના દાયકા સુધી દુબઈથી અબુધાબી પહોંચતા ચાર કલાકથી વધુ સમય લાગતો હતો. ત્યારે રસ્તે લક્ઝરી કાર ઓછી અને ટ્રક તથા ઊંટ વધારે હતાં. ત્યારે રેતીને કિનારે વાહન હંકાતાં. પવન ફૂંકાતા વાહન ફસાયું તો કલ્યાણ થઈ જતું. આજે અબુધાબીથી દુબઈ પહોંચતા કલાક-દોઢ કલાક થાય છે. ત્યાં ખરા અર્થમાં 1990ના દાયકાથી માર્ગોની કાયાપલટ થવા માંડી અને એ પણ કેવી!
Continue reading
Share:
Reading time: 1 min

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

નાથદ્વારા બદલાઈ રહ્યું છે

November 20, 2022
વેલકમ 2023 આ વર્ષે ઓટીટી પર શું જોશો?

વેલકમ 2023 આ વર્ષે ઓટીટી પર શું જોશો?

January 6, 2023

Enjoying Coffee At Home

February 14, 2012

Categories

  • Decoration
  • Editor's choice
  • Entertainment
  • Front Page Slideshow
  • Interior design
  • Lifestyle
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

ક્લાસિક ફિલ્મો ઓનલાઇન માણો

March 17, 2023
રમત જામી રમતગમતની

રમત જામી રમતગમતની

March 10, 2023
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.