Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Editor's choice, Entertainment

રાજીવ ગાંધીના હત્યારાઓનું પછી શું થયું?

August 1, 2025 by egujarati No Comments
નાગેશ કુકુનૂરની નવીનક્કોર વેબ સિરીઝ ‘ધ હન્ટ: ધ રાજીવ ગાંધી કેસ એસેસિનેશન કેસ’ ખાસ્સી દમદાર સાબિત થઈ છે – એના એપિસોડ્સની લંબાઈ થોડી કઠે એવી છે, તો પણ

 છેલ્લે 2016માં નાગેશ કુકુનૂરની ફિલ્મ, ‘ધનક’ આવી હતી. જોકે 2010થી એમની ફિલ્મ બનાવવાની રફ્તાર પહેલાં કરતાં ધીમી પડી જ હતી. બાકી, ‘હૈદરાબાદ બ્લ્યુઝ’ જેવી ટ્રેન્ડસેટિંગ અને અનેકને સાનંદાશ્ચર્ય કરાવનારી ફિલ્મ સાથે મનોરંજન ઉદ્યોગમાં પદાર્પણ કરનારા અને ટોચના સર્જકોમાં સ્થાન પામનારા કુકુનૂરે, ‘8X10 તસ્વીર’ સુધી લાગલગાટ ફિલ્મો આપી હતી. એમાંની મોટાભાગની વખણાઈ પણ હતી. નાગેશે ઓટીટીની દુનિયામાં 2019માં ‘સિટી ઓફ ડ્રીમ્સ’ સાથે આગમન કર્યું હતું. પછી ‘મોડર્ન લવ હૈદરાબાદ’ પણ બનાવી. દરમિયાન, ‘પાતાલ લોક’ની બીજી સીઝનમાં સરસ મજાના પાત્રથી એમણે અભિનેતા તરીકે પણ સૌને ખુશ કર્યા હતા. હવે તેઓ ‘ધ હન્ટ – ધ રાજીવ ગાંધી’ અસાસિન્સ’ કેસ સિરીઝ લાવ્યા છે. સાત એપિસોડની, સોની લિવ પર સ્ટ્રીમ થઈ રહેલી આ સિરીઝ કેવી છે એ જાણીએ.

બીજી ડિસેમ્બર 1989ના દિવસે, ચૂંટણીપ્રચાર માટે ચેન્નાઈ (ત્યારના મદ્રાસ)થી આશરે ચાલીસેક કિલોમીટર દૂર સ્થિત, શ્રીપેરુમ્બુદુર જનારા આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની ત્યાં આત્મઘાતી હુમલામાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. સિરીઝની શરૂઆત એ ઘટનાથી થાય છે. તરત વાત હત્યાની તપાસ તરફ વળે છે. તપાસની બાગડોર બાહોશ અધિકારી કાર્તિકેયન (અમિત સિયાલ)ને સોંપવામાં આવી છે. કાર્તિકેયન પોતાની ટીમ બનાવે છે. દેશના તત્કાલીન વડા પ્રઘાન ચંદ્રશેખર સહિત તંત્રનો એમને સબળ સાથ છે. જોવાનું એ છે કે કાર્તિકેયનના વડપણવાળી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રાજીવના હત્યારાને ઝબ્બે કરી શકે છે કે એમાં નિષ્ફળ જાય છે.

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

કુબેરઃ ભલે બોક્સ ઓફિસે નિસ્તેજ રહી પણ…

July 25, 2025 by egujarati No Comments
ધનુષની આ ફિલ્મ મોટા પડદે ના જોઈ હોય તો નાના પડદે જોવા જેવી છે. સાથે, નાગાર્જુન, રશ્મિકા મંદાના અને જિમ સર્ભ જેવાં કલાકારો પણ એમાં એકદમ બંધબેસતાં પાત્રમાં છે  

એકની એક ફિલ્મ મોટા પડદે જોવામાં અને નાના પડદે, ઓટીટી પર જોવામાં શો ફરક પડે? ધનુષ, રશ્મિકા મંદાના અને નાગર્જુનની ફિલ્મ ‘કુબેર’ મહિના પહેલાં મોટા પડદે આવી હતી. બોક્સ ઓફિસના આંકડા કહે છે કે ફિલ્મને અપેક્ષિત સફળતા નથી મળી અને નિર્માણખર્ચ પણ (બોક્સ ઓફિસનો સવાલ છે ત્યાં સુધી) પાછો આવ્યો નથી. હવે ફિલ્મ ઓટીટી (પ્રાઇમ) પર આવી છે. જેઓએ એને સિનેમાઘરમાં જઈને નથી જોઈ એમાંના ઘણા એને ઘેરબેઠા જોઈ રહ્યા છે. અનેક દર્શકોને એ ગમી પણ રહી છે. એવું કેમ થાય કે ટિકિટ લઈને ફિલ્મ જોવાની આવે ત્યારે ઘણા આનાકાની કરે પણ પછી, આ રીતે, ટેસથી જુએ?

1999માં અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ ‘સૂર્યવંશમ’ આવી હતી. એના દિગ્દર્શક ઈ. વી. વી. સત્યનારાયણ હતા. બોલિવુડમાં એમનું ત્યારે નામ નહીં અને આજે પણ દર્શકો એમનાથી ખાસ પરિચિત નથી પણ, ‘સૂર્યવંશમ’ પહેલાં સત્યનારાયણ બે ડઝનથી વધુ ફિલ્મો બનાવી ચૂકેલા. ચોપન વરસની નાની વયે અવસાન પામેલા આ દિગ્દર્શકે કારકિર્દીમાં એકાવન ફિલ્મો બનાવી હતી. એમાંની એક જ હિન્દી હતી. થયું એમ કે ‘સૂર્યવંશમ’ની રિલીઝ સમયે અમિતાભ બચ્ચનનો સિતારો ગર્દિશમાં હતો. દર્શકો એમને જોવા સિનેમાઘરોમાં જતા નહોતા. પરિણામે, ફિલ્મને જોઈએ એવો પ્રેમ ના મળ્યો. જોકે બોક્સ ઓફિસ પર એણે રોકાણથી લગભગ બમણા પૈસા બનાવ્યા હતા. પછી ફિલ્મ નાના પડદે આવી. ત્યારે ઓટીટી પ્લેટફોર્મ્સ નહોતાં એટલે સેટેલાઇટ ચેનલ, સોની મેક્સ પર ફિલ્મ આવી. એણે રીતસર તડાકો બોલાવી દીધો. એક અંદાજ મુજબ આ ફિલ્મને નાના પડદે ત્રીસેક કરોડ લોકોએ જોઈ હશે. ચેનલને એનાથી ગજબ નફો થયો છે. એટલે સોની મેક્સ પર વરસો સુધી છાશવારે ‘સૂર્યવંશમ’ ટેલિકાસ્ટ થતી જ રહી, થતી જ રહી…

‘કુબેર’ (એનો સ્પેલિંગ આપણને ફિલ્મનું નામ કુબેરા હોય એવું પ્રતીત કરાવે છે) ભલે ‘સૂર્યવંશમ’ નથી પણ એ જોવા જેવી છે જ.

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

પંચાયત નંબર ચારઃ વહીં માહૌલ, વહીં રફ્તાર

July 18, 2025 by egujarati No Comments

પાત્રો, વાતાવરણ, સમસ્યાઓ અને સમાધાનોની વાત કરીએ તો આ સિરીઝને એની પ્રસ્થાપિત યુક્તિઓ સાથે આગળ વધવાની ફાવટ આવી ગઈ છે. નાવીન્ય હોય કે ના હોય, મૂળ મિજાજને વફાદારી હોય ત્યાં સુધી આ સિરીઝ ઘણાને ગમતી રહે એવી શક્યતા છે

કોવિડકાળમાં જ્યારે ‘પંચાયત’ વેબ સિરીઝ આવી હતી ત્યારે માહોલ અલગ હતો. સિરીઝનો મિજાજ, એનું કન્ટેન્ટ પણ સાવ અલગ હતા. દેશ ઘરમાં બંધ હતો. લોકો ભયના ઓથારમાં હતા. મનોરંજન માટે ચાર દીવાલો વચ્ચે રહીને ટેલિવિઝ સામે બેસવા સિવાય વિકલ્પ નહોતા. ‘પંચાયત’ એ સ્થિતિમાં જે વાત લાવી એ હૃદયસ્પર્શી રહી. જીતેન્દ્ર કુમાર જેવા સાવ નવા ચહેરાએ શહેરી યુવાનને ફુલેરા ગામ જઈને (ટેમ્પરરી) થાળે પડવાને છટપટિયાં કર્યાં એ મીઠડાં હતાં. એમાં પ્રધાનજી બ્રિજ ભૂષણ (રઘુબીર યાદવ) એમનાં પત્ની મંજુદેવી (નીના ગુપ્તા) સહિત, પ્રહ્લાદ (ફૈસલ મલિક), વિકાસ (ચંદન રોય) જેવાં પાત્રો ઉમેર્યે સિરીઝ ફેન્ટાસ્ટિક બની.

એ પ્રારંભિક સફળતાએ નવાં સીમાચિહ્નો સ્થાપ્યાં. ‘પંચાયત’ ઓટીટીની એક સૌથી લાડકી સિરીઝ બની રહી. પાંચ વરસના એના પ્રવાસમાં એ પછી ચાર સીઝન થઈ છે. ચોથી ગયા મહિને આવી પહેલી ત્રણ સીઝન લગભગ એવી રહી જે સિરીઝના મૂળ હેતુ આસપાસ, મૂળ ટેમ્પરામેન્ટ આસપાસ જ ફરતી રહી. ભલે એમાં ધીમેધીમે ભપકો, શહેરીપણું અને સિરીઝના મૂળ રંગથી વિપરીત એવા થોડા રંગ પણ ઉમેરાયા. ચોથી સીઝનની વાત કરીએ તો, એમાં આ ધીમા પરિવર્તને ગતિ પકડી છે. આઠ એપિસોડની લેટેસ્ટ સીઝન આપણી સમક્ષ શું લાવી છે એ જાણીએ.

ચોથી સીઝનમાં કેન્દ્રવર્તી મુદ્દો બની રહે છે મંજુદેવી અને એમની પ્રતિસ્પર્ધી ક્રાંતિદેવી (સુનિતા રાજબર) અને તેમનાં પતિ ભૂષણ ઉર્ફે બનરાકસ (દુર્ગેશ કુમાર) વચ્ચેનું ઘર્ષણ. ત્રીજી સીઝનના ક્લાઇમેક્સમાં પ્રધાનજી પર થયેલા ગોળીબાર પછી સવાલ છે કે કોણે એમનો જીવ લેવા પ્રયાસ કર્યો. શંકાની સોય, સચિવ અભિષેક ત્રિપાઠી એન્ડ પાર્ટીની સમજણ અનુસાર, ભૂષણ વગેરે પર તકાઈ છે. સાથે સીઝનમાં છાંટણાં છે અભિષેકની કોમન એપ્ટિટ્યુડ ટેસ્ટ (કૅટ)ની પરીક્ષાનાં પરિણામોનાં, વિધાનસભ્ય ચંદ્રકિશાર સિંઘ (પંકજ ઝા)ના કાવાદાવાના તથા અન્ય બાબતોના. અભિષેક અને રિન્કી (સાન્વિકા) વચ્ચેનો પ્રણયફાગ પણ ખરો પણ એને આ સીઝનમાં ખાસ મહત્ત્વ નથી.

‘પંચાયત’ હવે એ મોડ પર છે જ્યાં કથાનકની મૌલિકતા, પાત્રોની સરળતા અને બેકડ્રોપની સુંદરતા સિરીઝને ચુંબકીય બનાવી રાખવા માટે પર્યાપ્ત નથી. હવે આ સિરીઝની નવી સીઝન (ચોથી અને આગળ આવવાની હોય તો એ પણ) ત્યારે જ લોકભોગ્ય થશે જ્યારે એમાં પહેલી સીઝન જેવી ચમત્કૃતિ હશે. બેશક, જૂની તાકાત પર સિરીઝ દર્શકોને આકર્ષી શકે છે પણ વફાદાર રાખી શકે એ જરા અઘરું છે.

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

ઓનલાઇન મંઝિલેં ઔર ભી હૈ

July 11, 2025 by egujarati No Comments
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સેે ગઈકાલ સુધી અશક્ય લાગતી બાબતોને શક્ય કરવા માંડી છે. જેઓ ઓનલાઇન વિશ્વ સાથે સુસંગત નથી તેઓને આ વિશ્વ હવે પહેલાં કરતાં વધુ આશ્ચર્ય અને અસુખ કરાવી રહ્યું છે. આગળ આ સ્થિતિ હજી સંગીન થવાની છે. એટલે જ, અપડેટ થવા સિવાય આપણી પાસે કદાચ કોઈ વિકલ્પ નથી

ઓનલાઇન મીડિયાની ઉપયોગિતા અને એની નકારાત્મક અસરોની વાતો ખાસ્સી થાય છે. ઘણે અંશે એ સાચી હોઈ શકે છે કારણ માણસના જીવનના એક અગત્યના હિસ્સાને હવે ઓનલાઇન માધ્યમો ઓહિયા કરી રહ્યાં છે. સવાર પડે કે હાથમાં મોબાઇલ, કામકાજના સ્થળે કોમ્પ્યુટર, લેપટોપની અનિવાર્યતાને કોઈ કાં તો ખાળતું નથી કાં ખાળી શકતું નથી. એવામાં ક્યારેક એ પણ વિચાર કરવો રહ્યો કે ઓનલાઇન જગત એક આશીર્વાદ પણ છે. અનેકના જીવનમાં એનો સકારાત્મક પ્રભાવ પણ પડ્યો છે.લેટ્સ ટૉક.

ઓનલાઇન દુનિયા માત્ર મનોરંજન માટે નથી. આ સત્ય સમજવા છતાં, દુર્ભાગ્યે, અનેક લોકો માત્ર મનોરંજન માટે ઓનલાઇન મીડિયાને પંપાળતા રહે છે. જ્ઞાનોપાર્જન માટે, પોતાના કામકાજની ગતિ અને ગુણવત્તા વધારવા માટે પણ ઓનલાઇન માધ્યમોનો અસરકારક ઉપયોગ કરવાની કળા આત્મસાત્ કરવી અનિવાર્ય છે. પોસ્ટકાર્ડ અને પરબીડિયાના સ્થાને સ્વેચ્છાએ કે પરિસ્થિતિવશ, ઇમેઇલ, વ્હોટ્સએપ વગેરે અપનાવવા પડ્યાં છેને? તો ઓનલાઇન વિશ્વને બિનમનોરંજન બાબતો માટે પણ અપનાવી લો. ટ્રેનમાં લાંબા પ્રવાસમાં, રાતના ઊંઘતા પહેલાં મોબાઇલ પર અંગૂઠાથી શોર્ટ્સ અને રીલ્સમાં ઓતપ્રોત થવાને બદલે, “મારે આ શીખવું છે,” કહીને પોતાને બદલાવો. એ માટે એક ઇમાનદાર સમયપત્રક બનાવો. શીખવું કશું પણ હોઈ શકે. નવી ભાષા હોઈ શકે, સંગીત હોઈ શકે, રસોઈ હોઈ શકે, પોતાના કામકાજને બહેતર કરવાનો કોર્સ હોઈ શકે… બસ, નક્કી હોવું જોઈએ કે શું શીખવું છે અને એને પાકે પાયે સમય આપવો છે.

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

ભણતર પાકા ધડાનું…રાઝ રિઝર્વ બેન્કનું

July 4, 2025 by egujarati No Comments
મરાઠી ફિલ્મ ‘આતા થાંબાયચં નાહી’ મુંબઈ મહાપાલિકાના એવા કર્મચારીઓ વિશે છે જેઓ મોટી ઉંમરે દસમું ધોરણ ભણે છે અને પાસ થાય છે. આરબીઆઈ અનલોક્ડઃ બિયોન્ડ ધ રૂપી’ રૂબરૂ કરાવે છે દેશની સૌથી મહત્ત્વની બેન્કના કારભારથી. બેઉ જોવાય

સત્ય ઘટના પર આધારિત કે એનાથી પ્રેરિત ફિલ્મો હવે ખાસ્સી બને છે. દરેક ભાષામાં બને છે. એક રીતે સારું છે કારણ સારા વિષયોની સખત તંગી વચ્ચે આવી ઘટનાઓ પડદા પર નવું લાવી શકવાની શક્યતા જગાવે છે. એવી જ એક ફિલ્મ પહેલી મેએ, એટલે મહારાષ્ટ્ર અને ગુજરાત દિને મોટા પડદે આવી હતી. ફિલ્મનું નામ ‘આતા થાંબાયચં નાહી’ એટલે હવે અટકવાનો વારો નહીં આવે. મુંબઈ મહાનગરપાલિકાના ચોથી શ્રેણીના કર્મચારીઓની એમાં વાત છે. આ કર્મચારીઓ શહેરની ગટરોનું સફાઈકામ કરે, પાણીની લાઇનો બરાબર ચાલે એની કાળજી રાખે, ઘેરઘેરથી કચરો ઉઠાવે… ઓછું ભણેલા આ કર્મચારીઓના જીવનમાં એકવાર એક મહાપાલિકા અધિકારીને કારણે એક નવો પવન ફૂંકાય છે અને… વિગતે જાણીએ.ઉદય શિરુરકર (આશુતોષ ગોવારિકર) મહાપાલિકાનો અધિકારી છે. એક દિવસ એ મહાપાલિકાના અમુક કર્મચારીઓને આદેશ મોકલાવે છે કે આવો અને મળો. કર્મચારીઓના હોશકોશ ઊડી જાય છે. એમને ધાસ્તી બેસી ગઈ છે કે આપણી નોકરી ગઈ. જોકે જેવા તેઓ ઉદય પાસે પહોંચે છે કે સાવ અનપેક્ષિત વાત થાય છે. ઉદય કહે છે, “તમારે સૌએ દસમાની પરીક્ષા પાસ કરવાની છે. નોકરી પછી નાઇટ સ્કૂલમાં જવાનું છે. ભણવાનું છે. એમ કર્યે તમારું પદ ઊંચુ જશે અને પગાર પણ.” મુશ્કેલી એ કે મોટી ઉંમરે ભણવા માટે સ્કૂલે જવાનો વિચાર જ આ કર્મચારીઓને માનસિક ખલેલ પહોંચાડવા પૂરતો થઈ રહે છે. જેમના બચ્ચાંવ અને પૌત્ર-પૌત્રી સ્કૂલમાં ભણતાં હોય, જેમણે જીવનમાં મહત્વાકાંક્ષાઓ રાખવાનું પડતું મૂકી દીધું હોય એમના માટે શું અભ્યાસ અને શું સપનાં? પણ સાહેબના આદેશ સામે શું થાય? વળી સાહેબ કહે છે કે તમે ભણશો તો દર મહિને રૂપિયા ત્રણ હજાર વધારાના અને એસએસસીમાં પાસ થયા તો પગારમાં રૂપિયા પાંચ હજારનો વધારો, બેઉ થશે. એમ, આ કર્મચારીઓ શરૂ કરે છે અભ્યાસ. 

એમા સામેલ છે નિવૃત્તિ આરે પહોંચી રહેલો સખારામ મંચેકર (ભરત જાધવ), હોશિયાર અને ઢીંગલી જેવી દીકરીનો બાપ મારુતિ કદમ (સિદ્ધાર્થ જાધવ), ચંચળ સ્વભાવની જયશ્રી (પ્રાજક્તા હનમઘર), પતિપીડિત અપ્સરા (કિરણ ખોજે) સહિતનાં કર્મચારીઓ. એમને ભણાવવાનું કામ કરવાનું છે નીલેશ માળી (ઓમ ભુતકર) નામના શિક્ષકે. નીલેશ મહાપાલિકાની સ્કૂલનો શિક્ષક છે. એની સ્કૂલ બંધ થવાને આરે છે છતાં, પોતાના વ્યવસાયને બેહદ ચાહતો આ શિક્ષક નવા વિદ્યાર્થીઓ મેળવીને રાજે છે. 

Continue reading
Share:
Reading time: 1 min
Page 1 of 3123»

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

નાથદ્વારા બદલાઈ રહ્યું છે

November 20, 2022

વેલકમ 2023 આ વર્ષે ઓટીટી પર શું જોશો?

January 6, 2023
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

November 3, 2022

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

રાજીવ ગાંધીના હત્યારાઓનું પછી શું થયું?

રાજીવ ગાંધીના હત્યારાઓનું પછી શું થયું?

August 1, 2025
કુબેરઃ ભલે બોક્સ ઓફિસે નિસ્તેજ રહી પણ…

કુબેરઃ ભલે બોક્સ ઓફિસે નિસ્તેજ રહી પણ…

July 25, 2025
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.