Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Entertainment

એવોર્ડ ઓટીટીના, લાભ દર્શકોને

December 1, 2023 by egujarati No Comments
ફિલ્મોની જેમ ઓટીટીની સિરીઝ અને ફિલ્મો વગેરે માટે અવોર્ડ્સ વધી રહ્યા છે. હવે તો ઇન્ફ્લુએન્સર્સ પણ અવોર્ડ જીતી શકે છે. વધુ અવોર્ડથી ઓનલાઇન મનોરંજન દર્શકો સુધી વધુ સારી રીતે પહોંચી શકશે એ સમજી શકાય એવી બાબત છે 

ફિલ્મી એવોર્ડ્સની જાહેરાત સૌમાં ઉત્કંઠા જગાડતી હોય છે. કારણ, બોલિવુડ અને ફિલ્મો લોકોના જીવનનો અંતરંગ હિસ્સો હોય એવું વરસોથી રહ્યું છે. ઓટીટીના મામલે હજી એવું થતું નથી. ઓટીટીના નોંધપાત્ર સર્જકોને એવોર્ડથી સન્માનિત કરવાનું ચલણ નવું છે. એવોર્ડ્સ આપતી સંસ્થાઓ પણ ઓછી છે. વાત કરીએ ઓટીટી માટે અપાતા વિવિધ એવોર્ડ્સની. વાત કરીએ હાલમાં જાહેર થયેલા ફિલ્મફેરના ઓટીટી માટેના ચોથા એવોર્ડ્સ અને એના અમુક વિજેતાઓ અને એમનાં સર્જનોની.

ઓટીટી માટે અપાતા એક એવોર્ડનું નામ છે, ઓટીટીપ્લે. આ એવોર્ડ બે વરસ પહેલાં શરૂ થયા છે. એમાં મુખ્યત્વે ઓટીટીની શ્રે ફિલ્મ, વેબ સિરીઝ, અભિનેતા, અભિનેત્રી અને  શ્રેષ્ઠ નવોદિત (એટલે ઓટીટી માટે નવોદિત) અભિનેતા અને અભિનેત્રીના એવોર્ડ્સ અપાય છે. ૨૦૨૩માં એમાં   શ્રેષ્ઠ ફિલ્મ ઘોષિત થઈ હતી ‘ડાલગ્સ’. શ્રેષ્ઠ સિરીઝ તરીકે ટ્રોફી લઈ ગઈ હતી તામિલ-તેલુગુ સિરીઝ ‘અયાલી’. સિરીઝના દિગ્દર્શક મુથુકુમાર છે. એમાં કુલ આઠ એપિસોડ્સ છે. વાર્તા મા અને દીકરીની છે. દમન અને શોષણના ૫૦૦ વરસ જૂના રિવાજો વિરુદ્ધ અવાજ ઉઠાવતી દીકરી કેવી રીતે ડોક્ટર બનવાના સપનાને જીવે છે એ છે કેન્દ્રવર્તી મુદ્દો. જાન્યુઆરીમાં રિલીઝ થયેલી આ સિરીઝે દર્શકોનાં દિલ જીત્યાં હતાં. એ ઝીફાઇવ પર જોઈ શકાય છે.

આ એવોર્ડના બાકીના વિજેતાઓની વાત રહેવા દઈ અન્ય એવોર્ડ તરફ વધીએ. ઓટીટીના એક એવોર્ડનું નામ ટ્રેન્ડીઝ છે. એની શરૂઆતને એક વરસ થયું છે. એમાં સિતારાઓ સાથે ઇન્ફ્લુએન્સર તરીકે કશુંક નોંધપાત્ર સિદ્ધ કરી શકનારા સામાન્ય માણસને પણ નવાજવામાં આવે છે. માર્ચ ૨૦૨૪માં એ એવોર્ડ બીજી વખત આપવામાં આવશે. ઇન્ફ્લુએન્સર માટેની એની શ્રેણીઓમાં દસેક એવોર્ડ્સ છે. બાકીના મુખ્યત્ત્વે ઓનલાઇન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અને એવી કંપનીઓ માટેના એવોર્ડ્સ છે. એમાં નામાંકન કરાવવા માટે જે-તે શ્રેણી અનુસાર ફી ભરવાની રહે છે એ પણ નોંધી લો.

Continue reading
Share:
Reading time: 1 min
Entertainment

ગમખ્વાર દુર્ઘટના પડદે આવે ત્યારે

November 24, 2023 by egujarati No Comments

 

દુનિયાનાં બે શહેરોએ એમનાં ન્યુક્લિયર અને કેમિકલ પ્લાન્ટને લીધે અનેક નાગરિકો ખોયા છે. એક ચેર્નોબિલ છે તો બીજું આપણું ભોપાલ છે. બેઉ વિશેની ફિલ્મો અને વેબ સિરીઝ બની છે. એમાંથી શું જોવા જેવું એ જાણીએ

 ઉત્તર યુક્રેઇનના ચેર્નોબિલ અને ઉત્તર ભારતના ભોપાલ વચ્ચે સામ્યતા શી છે? બેઉમાં માનવસર્જિત દુર્ઘટનાએ જિંદગીઓ રોળી છે. ચેર્નોબિલમાં 1986માં એવું થયું પ્રિપ્યાત શહેરના ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ધડાકાથી. પ્રિપ્યાત માત્ર ચેર્નોબિલ પ્લાન્ટના કર્મચારીઓ માટે વસ્યું હતું અને એના અંત સાથે વેરાન થયું હતું. ચેર્નોબિલ દુર્ઘટનામાં 31 કર્મચારીઓએ તાત્કાલિક જીવ ખોયા હતા. દુર્ઘટનાની લાંબા ગાળાની અસરથી જીવ ખોનારાની સંખ્યા વિશે વિવાદ છે. ધારણા છે યુકેઇન, બેલારુસ, રશિયાના 4,000થી 16,000 નાગરિકોએ જીવ ગુમાવ્યા હશે.

એ દુર્ઘટનાનાં બે વરસ પહેલાં ભોપાલ ગેસ દુર્ઘટના થઈ. વિશ્વની એ સૌથી ભયાવહ ઔદ્યોગિક દુર્ઘટના છે. અમેરિકન કંપની યુનિયન કાર્બાઇડના ભોપાલ સ્થિત પ્લાન્ટના ગેસ ગળતરે તત્કાળ 2,259 લોકોના જીવ લેવા ઉપરાંત પાંચ લાખ લોકોને શારીરિક-માનસિક પીડા આપી હતી. સત્તાવાર આંકડા અનુસાર દુર્ઘટનામાં મોતનો આંકડો ચાર હજાર આસપાસ હતો. ઘાયલ અને પીડિતો ઓલમોસ્ટ પોણાછ લાખ હતા. બિનસત્તાવાર આંકડા દુર્ઘટનાથી ટૂંકા-લાંબા ગાળે મૃત્યુમુખે હોમાયેલા લોકોની સંખ્યા 16,000 સુધીની ધારે છે.

ચેર્નોબિલ વિશે ભૂતકાળમાં ફિલ્મ અને સિરીઝ આવી છે. ફિલ્મ 2012માં તો પાંચ એપિસોડની સિરીઝ 2019માં આવી હતી. ભોપાલ ગેસ દુર્ઘટના વિશે ફિલ્મ ‘ભોપાલઃ અ પ્રેયર ફોર રેઇન’ હિન્દી-અગ્રેજીમાં 2014માં બની હતી. દિગ્દર્શક રવિ કુમારની એ ફિલ્મની ખાસ નોંધ નથી લેવાઈ. હવે દુર્ઘટનાના એક અગત્યના પાસાની સિરીઝ ‘ધ રેલવે મેન’ આવી છે. સર્જક રાહુલ રવૈલનો દીકરો શિવ રવૈલ ડિરેક્ટર અને આદિત્ય ચોપરાની વાયઆરએફ એન્ટરટેઇનમેન્ટ નિર્માતા છે. સિરીઝ ચાર એપિસોડની છે.

‘ચેર્નોબિલ’ સિરીઝ જિયો સિનેમા પ્રીમિયમ અને ‘ધ રેલવે મેન’ નેટફ્લિક્સ પર છે. ‘ચેર્નોબિલ’ ક્રેગ મેઝિનનું સર્જન અને એચબીઓનું નિર્માણ છે. દિગ્દર્શક જોહાન રેન્ક છે. ચેર્નોબિલ દુર્ઘટના અને એની આડઅસરોથી શહેરને સુરક્ષિત રાખવા થયેલા પ્રયાસો આસપાસ એની કથા ફરે છે. એના પાંચ એપિસોડ છે. નિર્માણ, લેખન, અભિનય, માવજત, હકીકતનું નિરુપણ, સંગીત જેવાં પાસાં માટે સૌએ એને વખાણી છે. એમી એવોર્ડમાં એને 19 નોમિનેશન્સ અને 10 એવોર્ડ્સ તો ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં ચાર નોમિનેશન્સ અને બે એવોર્ડ મળ્યા હતા. સખત સંશોધન પછી બનેલી આ સિરીઝમાં હકીકત સાથે બહુ ઓછી છૂટછાટ લેવાઈ હતી. છૂટછાટ વિશે સિરીઝની રિલીઝ વખતે પોડકાસ્ટથી દર્શકોને મુદ્દાસર કારણો આપી વાકેફ પણ કરાયા હતા. કથાનકનો આધાર પ્રિપ્યાતની પ્રજાનાં દુર્ઘટનાનાં સંસ્મરણો હતાં. એ સંસ્મરણો નોબેલ ઇનામ વિજેતા લેખિકા-પત્રકાર સ્વેતલાના અલેકસિયેવિચના પુસ્તક ‘વોઇસીસ ઓફ ચેર્નોબિલ‘માં અંકિત છે. પુસ્તક ચેર્નોબિલ દુર્ઘટનાનો સચોટ ઇતિહાસ નથી પણ વિશ્વસનીય દસ્તાવેજીકરણ તો છે જ. પુસ્તકના આધાર, સર્જકોની કલ્પનાશીલતા, નિષ્ઠા જેવાં પરિબળોથી ‘ચેર્નોબિલ’ને હૃદયસ્પર્શી સિરીઝ બની છે.

Continue reading
Share:
Reading time: 1 min

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

નાથદ્વારા બદલાઈ રહ્યું છે

November 20, 2022

વેલકમ 2023 આ વર્ષે ઓટીટી પર શું જોશો?

January 6, 2023
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

November 3, 2022

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

ઓટીટીનું સિનેમા ભક્ષણઃ ભૂલ ચૂક માફ હોં

ઓટીટીનું સિનેમા ભક્ષણઃ ભૂલ ચૂક માફ હોં

May 23, 2025
ગ્રામ ચિકિત્સાલયઃ પરફેક્ટ નિરાશાલય

ગ્રામ ચિકિત્સાલયઃ પરફેક્ટ નિરાશાલય

May 16, 2025
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.