Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
  • Privacy Policy
  • Terms & Conditions
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Privacy Policy
Terms & Conditions
Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
  • Privacy Policy
  • Terms & Conditions
Editor's choice, Entertainment

રંગીનઃ વચમાં ગડથોલાં ખાતા રંગોનું શું?

August 8, 2025 by egujarati No Comments
વિષય ભલે કામુકતાને લગતો હોય પણ આ સિરીઝ પ્રમાણમાં ક્લીન છે. કલાકારોના સરસ અભિનય અને કથાની આંશિક અસરકારકતા એને ઠીકઠીક માણવા જેવી બનાવે છે

જિગોલો એટલે કોણ? દેહવિક્રય કરતી સ્ત્રીથી વિપરીત જ્યારે પુરુષ એ કામ કરે, એનાથી આજીવિકા રળે, ત્યારે એ પુરુષ જિગોલો કહેવાય. આપણા મનોરંજન વિશ્વમાં જિગોલોને વિષય તરીકે સાંકળતી ફિલ્મો સહિતની કૃતિઓ આ પહેલાં પણ બની છે. ‘રંગીન’ નામની એક તાજી સિરીઝમાં આ પ્રવૃત્તિને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે. શું છે સિરીઝમાં?

નવ એપિસોડ્સવાળી સિરીઝમાં વાત છે નીતિવાન પત્રકાર આદર્શ જોહરી (વિનીત કુમાર સિંઘ)ની. લગ્નનાં થોડાં વરસો પછી, પત્ની નયના (રાજશ્રી દેશપાંડે) અને આદર્શના સંબંધો હવે મીઠાશભર્યા પણ નથી અને હેપનિંગ પણ નથી. એકમેકથી કંટાળેલાં પતિ-પત્ની વચ્ચે તણાવ ત્યારે વધે છે જ્યારે અનાયાસે આદર્શ નયનાને પરયુવક સની (તારુક રૈના) સાથે મોજ કરતી પકડી પાડે છે. એ પછી સંબંધો વધુ તંગ બને છે. નયના ઘર છોડીને પિયર જતી રહે છે. એના ધનાઢ્ય પિતા લાલજી (રાજેશ શર્મા) દીકરીની તરફદારી કરનારા અને જમાઈને નકામો ગણનારા માણસ છે. સંબંધોમાં પડેલી તિરાડનાં કારણો જાણવાને બદલે વિનીત સનીની જેમ જિગોલો બનીને પોતાના પુરુષત્વને સાબિત કરવા મેદાને પડે છે. પછી શું થાય છે એ જણાવે છે ‘રંગીન’.

ખાસ્સી લંબાઈ ધરાવતી રંગીન એક જ મુદ્દાને વારંવાર, જુદી જુદી રીતે ચગળતી વાર્તા છે. કથાના કેન્દ્રસ્થાને ઉપર જણાવેલાં પાત્રો રહે છે. એમની જીવન સાથેની મથામણો, એમના નિર્ણયો અને એની ફળશ્રુતિ વિશેની વાત વિવિધ ટ્રેક્સમાં આવતી રહે છે. આશાસ્પદ શરૂઆત સાથે શરૂ થતી સિરીઝમાં પ્રારંભિત કિસ્સા અને સિનેમેટિક પેશકશ ઉત્કંઠા જગાડે છે. સુદ્રઢ પાત્રો અને સરસ ડિરેક્શન (પ્રાંજલ દુઆ, કોપલ નૈથાણી)ને એની ક્રેડિટ આપવી પડે. સિરીઝની પટકથા (અમીર રીઝવી, અમરદીપ ગસલાન અને મનુ રિશી ચઢ્ઢા) નાટ્યાત્મકતાને સામાન્ય માણસની જીવનની ઘટનાઓ જેવી બનાવી શક્યાં છે. પાત્રોનું વર્તન, એમના સંવાદ (અમરદીપ અને રીઝવી) પણ પરિસ્થિતિને અસરકારક બનાવવામાં સહાયરૂપ બને છે. સમસ્યા જોકે બહુ જલદી આકાર લેવા માંડે છે જ્યારે, આદર્શ, સની અને નયનાનાં પાત્રો એકની એક બાબતમાં ફસાતાં અને જુદા જુદા નિર્ણયો લઈને છટપટિયાં મારતાં દેખાય છે.

આદર્શની સમસ્યા પોતાના પુરુષત્વને સાબિત કરવાની છે. એ માટે એ સિતારા (શીબા ચઢ્ઢા)નું તરણું ઝાલે છે. બુટિક ચલાવતી ફેશનેબલ અને શ્રીમંત સિતારાનો એક બિઝનેસ અમીરજાદી સ્ત્રીઓને પુરુષો સપ્લાય કરવાનો છે. સની પણ એના જ હાથ નીચે કામ કરતો યુવાન છે. સનીને લીધે જ આદર્શ પણ સિતારા સુધી પહોંચે છે. શરૂઆતી આનાકાની અને નાપસંદ છતાં, છેવટે સિતારા આદર્શને પોતાના હાથ નીચે લઈને જિગોલો તરીકે તૈયાર કરે છે. એમાં એની મદદ એની ગ્રાહક કમ દોસ્ત રેણુ (મેઘના મલિક) કરે છે.

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

રાજીવ ગાંધીના હત્યારાઓનું પછી શું થયું?

August 1, 2025 by egujarati No Comments
નાગેશ કુકુનૂરની નવીનક્કોર વેબ સિરીઝ ‘ધ હન્ટ: ધ રાજીવ ગાંધી કેસ એસેસિનેશન કેસ’ ખાસ્સી દમદાર સાબિત થઈ છે – એના એપિસોડ્સની લંબાઈ થોડી કઠે એવી છે, તો પણ

 છેલ્લે 2016માં નાગેશ કુકુનૂરની ફિલ્મ, ‘ધનક’ આવી હતી. જોકે 2010થી એમની ફિલ્મ બનાવવાની રફ્તાર પહેલાં કરતાં ધીમી પડી જ હતી. બાકી, ‘હૈદરાબાદ બ્લ્યુઝ’ જેવી ટ્રેન્ડસેટિંગ અને અનેકને સાનંદાશ્ચર્ય કરાવનારી ફિલ્મ સાથે મનોરંજન ઉદ્યોગમાં પદાર્પણ કરનારા અને ટોચના સર્જકોમાં સ્થાન પામનારા કુકુનૂરે, ‘8X10 તસ્વીર’ સુધી લાગલગાટ ફિલ્મો આપી હતી. એમાંની મોટાભાગની વખણાઈ પણ હતી. નાગેશે ઓટીટીની દુનિયામાં 2019માં ‘સિટી ઓફ ડ્રીમ્સ’ સાથે આગમન કર્યું હતું. પછી ‘મોડર્ન લવ હૈદરાબાદ’ પણ બનાવી. દરમિયાન, ‘પાતાલ લોક’ની બીજી સીઝનમાં સરસ મજાના પાત્રથી એમણે અભિનેતા તરીકે પણ સૌને ખુશ કર્યા હતા. હવે તેઓ ‘ધ હન્ટ – ધ રાજીવ ગાંધી’ અસાસિન્સ’ કેસ સિરીઝ લાવ્યા છે. સાત એપિસોડની, સોની લિવ પર સ્ટ્રીમ થઈ રહેલી આ સિરીઝ કેવી છે એ જાણીએ.

બીજી ડિસેમ્બર 1989ના દિવસે, ચૂંટણીપ્રચાર માટે ચેન્નાઈ (ત્યારના મદ્રાસ)થી આશરે ચાલીસેક કિલોમીટર દૂર સ્થિત, શ્રીપેરુમ્બુદુર જનારા આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની ત્યાં આત્મઘાતી હુમલામાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. સિરીઝની શરૂઆત એ ઘટનાથી થાય છે. તરત વાત હત્યાની તપાસ તરફ વળે છે. તપાસની બાગડોર બાહોશ અધિકારી કાર્તિકેયન (અમિત સિયાલ)ને સોંપવામાં આવી છે. કાર્તિકેયન પોતાની ટીમ બનાવે છે. દેશના તત્કાલીન વડા પ્રઘાન ચંદ્રશેખર સહિત તંત્રનો એમને સબળ સાથ છે. જોવાનું એ છે કે કાર્તિકેયનના વડપણવાળી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રાજીવના હત્યારાને ઝબ્બે કરી શકે છે કે એમાં નિષ્ફળ જાય છે.

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

કુબેરઃ ભલે બોક્સ ઓફિસે નિસ્તેજ રહી પણ…

July 25, 2025 by egujarati No Comments
ધનુષની આ ફિલ્મ મોટા પડદે ના જોઈ હોય તો નાના પડદે જોવા જેવી છે. સાથે, નાગાર્જુન, રશ્મિકા મંદાના અને જિમ સર્ભ જેવાં કલાકારો પણ એમાં એકદમ બંધબેસતાં પાત્રમાં છે  

એકની એક ફિલ્મ મોટા પડદે જોવામાં અને નાના પડદે, ઓટીટી પર જોવામાં શો ફરક પડે? ધનુષ, રશ્મિકા મંદાના અને નાગર્જુનની ફિલ્મ ‘કુબેર’ મહિના પહેલાં મોટા પડદે આવી હતી. બોક્સ ઓફિસના આંકડા કહે છે કે ફિલ્મને અપેક્ષિત સફળતા નથી મળી અને નિર્માણખર્ચ પણ (બોક્સ ઓફિસનો સવાલ છે ત્યાં સુધી) પાછો આવ્યો નથી. હવે ફિલ્મ ઓટીટી (પ્રાઇમ) પર આવી છે. જેઓએ એને સિનેમાઘરમાં જઈને નથી જોઈ એમાંના ઘણા એને ઘેરબેઠા જોઈ રહ્યા છે. અનેક દર્શકોને એ ગમી પણ રહી છે. એવું કેમ થાય કે ટિકિટ લઈને ફિલ્મ જોવાની આવે ત્યારે ઘણા આનાકાની કરે પણ પછી, આ રીતે, ટેસથી જુએ?

1999માં અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ ‘સૂર્યવંશમ’ આવી હતી. એના દિગ્દર્શક ઈ. વી. વી. સત્યનારાયણ હતા. બોલિવુડમાં એમનું ત્યારે નામ નહીં અને આજે પણ દર્શકો એમનાથી ખાસ પરિચિત નથી પણ, ‘સૂર્યવંશમ’ પહેલાં સત્યનારાયણ બે ડઝનથી વધુ ફિલ્મો બનાવી ચૂકેલા. ચોપન વરસની નાની વયે અવસાન પામેલા આ દિગ્દર્શકે કારકિર્દીમાં એકાવન ફિલ્મો બનાવી હતી. એમાંની એક જ હિન્દી હતી. થયું એમ કે ‘સૂર્યવંશમ’ની રિલીઝ સમયે અમિતાભ બચ્ચનનો સિતારો ગર્દિશમાં હતો. દર્શકો એમને જોવા સિનેમાઘરોમાં જતા નહોતા. પરિણામે, ફિલ્મને જોઈએ એવો પ્રેમ ના મળ્યો. જોકે બોક્સ ઓફિસ પર એણે રોકાણથી લગભગ બમણા પૈસા બનાવ્યા હતા. પછી ફિલ્મ નાના પડદે આવી. ત્યારે ઓટીટી પ્લેટફોર્મ્સ નહોતાં એટલે સેટેલાઇટ ચેનલ, સોની મેક્સ પર ફિલ્મ આવી. એણે રીતસર તડાકો બોલાવી દીધો. એક અંદાજ મુજબ આ ફિલ્મને નાના પડદે ત્રીસેક કરોડ લોકોએ જોઈ હશે. ચેનલને એનાથી ગજબ નફો થયો છે. એટલે સોની મેક્સ પર વરસો સુધી છાશવારે ‘સૂર્યવંશમ’ ટેલિકાસ્ટ થતી જ રહી, થતી જ રહી…

‘કુબેર’ (એનો સ્પેલિંગ આપણને ફિલ્મનું નામ કુબેરા હોય એવું પ્રતીત કરાવે છે) ભલે ‘સૂર્યવંશમ’ નથી પણ એ જોવા જેવી છે જ.

Continue reading
Share:
Reading time: 1 min
Page 2 of 2«12

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

નાથદ્વારા બદલાઈ રહ્યું છે

November 20, 2022

વેલકમ 2023 આ વર્ષે ઓટીટી પર શું જોશો?

January 6, 2023
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

November 3, 2022

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

રિયલ કાશ્મીર ફૂટબોલ ક્લબઃ મંદ અને મોળી

રિયલ કાશ્મીર ફૂટબોલ ક્લબઃ મંદ અને મોળી

December 19, 2025
કૌન બનેગા ઓટીટીપતિ?

કૌન બનેગા ઓટીટીપતિ?

December 12, 2025
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.