Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Editor's choice, Entertainment

ઓનલાઇન થયા, હવે કામથી ગયા?

April 13, 2024 by egujarati No Comments

આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું હતું કે એવો એક દિવસ આવશે જ્યારે ટેક્નોલોજી માનવતાને વળોટીને આગળ નીકળી જશે અને, દુનિયામાં માત્ર મૂર્ખોની પેઢી હશે, એ સમયે ઇન્ટરનેટ, સ્માર્ટફોન્સ, ઓટીટી વગેરે નહોતાં. આજે એ વાત અક્ષરશઃ સાચી પડવા તરફ છે. એવામાં એ સમજવું અનિવાર્ય થઈ ગયું છે કે ઓનલાઇન વિશ્વમાં વિહરવું હોય તો કેટલું, કેવું અને શું કામ

સવાર પડી અને આંખો ચોળતાં સનાનો પથારી પર આમતેમ ફર્યો, “મોબાઇલ ક્યાં?” રોજના અંદાજ પ્રમાણે જોકે ચોક્કસ જગ્યાએ મોબાઇલ નહોતો. પાંચ-સાત સેકન્ડમાં સના ઘાંઘી થઈ ગઈ. “મોબાઇલ, મોબાઇલ, મોબાઇલ…” એનું હૈયું એક ધબકારો ચૂકી ગયું. છેવટે મોબાઇલ હાથ લાગ્યો અને એને હાશ થઈ. બીજી જ પળે એની નજર નોટિફિકેશન્સ પર ફરવા માંડી, “કોના મેસેજ છે? ગઈકાલ રાતની મારી પોસ્ટ્સને કેટલી લાઇક્સ મળી? અને કોમેન્ટ્સ?”

ઉંમરના બાધ વિના, અગત્યતાની ઐસીતૈસી કરતાં, સોમાંથી નેવું જણની સવાર બસ, હવે આ રીતે પડે છે. નથી કોઈને પળવાર પોતાની હસ્તરેખાઓ જોવાની ફુરસદ (જે એક સુંદર શરૂઆત છે સવારની, રાઇટ?) કે નથી કોઈને જાગ્યાની પહેલી ક્ષણ ભગવાનનું નામ લેવાની તમા. જિંદગી ખરેખર ઓનલાઇન જગતની ભયંકર ઓશિયાળી થઈ ગઈ છે. કેટલી હદે ઓશિયાળી, જાણો છો?

દુનિયામાં અત્યારે 6.84 અબજ સ્માર્ટફોન્સ કામ કરી રહ્યા છે. ધરતીના ગોળા પર માણસની વસતિ છે 7.95 અબજ. કહો કે એવા માણસો જ બચ્યા નથી જેમની પાસે મોબાઇલ નથી. દેશ, ભાષા, શિક્ષણ, જરૂર, સમજણ… તમામ બાધને પડતા મૂકીને લોકો સવારથી રાત મોબાઇલમાં રત છે. માણસનું ચાલે તો એવી એપ પણ શોધી કાઢશે હવે, જે એને ઊંઘમાં પણ નોટિફિકેશન આપશે કે જો, તું સૂએ ત્યારે ફલાણાએ તારી પોસ્ટને લાઇક કરી છે. ચોવીસ કલાકમાંથી આઠ કલાક ઊંઘના કાઢી નાખીએ તો બાકીના સોળમાંથી સાતેક કલાક માણસ એક અથવા બીજી સ્ક્રીન સામે ડોળા તાગી રહ્યો છે. અમેરિકન રહે છે સાત કલાક, તો સાઉથ આફ્રિક્ન્સ ઓલમોસ્ટ અગિયાર કલાક. હા, અગિયાર કલાક! એમાં પણ ઝેન ઝેડ એટલે સન 1996થી 2010 વચ્ચે જન્મેલી પેઢી. આ પેઢી દરરોજ નવ કલાક સ્ક્રીન સામે રહે છે.

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

બંગાળી ઓટીટીની બમણી શક્યતાઓ

April 5, 2024 by egujarati No Comments
ભારત અને બાંગલાદેશ વચ્ચે બંગાળી ભાષા સેતુનું કામ કરે છે. આ સેતુએ બેઉ દેશનાં ઓટીટી પ્લેટફોર્મ્સને સંયુક્ત કામ કરવા પ્રેર્યાં છે. એના લીધે માત્ર આ ભાષા નહીં, અન્ય ભાષાના દર્શકોને પણ ભવિષ્યમાં ગુણવત્તાસભર કાર્યક્રમો મળી શકે છે

બાંગલાદેશ અને ભારતને જોડતી બે મજબૂત કડી છે. એક અખંડ ભારતનો સમયકાળ. બીજી, બંગાળી ભાષા. દેશના ભાગલા પાડવા અંગ્રજોની મેલી મથરાવટીને સફળ કરવામાં અખંડ બંગાળનો ઇતિહાસ અગત્યનો હતો. ધર્મના નામે અખંડ ભારતમાં પહેલીવાર બંગાળના કટકા થયા હતા. વરસ 1905નું હતું. મુસ્લિમ બહુમતીવાળો ભાગ ત્યારે પૂર્વ બંગાળ બન્યો હતો. પછીના વરસે ઢાકામાં, ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગનો જન્મ થયો હતો. જોકે, પ્રજાના આક્રોશને લીધે સન 1911માં બંગાળનું ફરી વિલીનિકરણ કરવું પડ્યું હતું. પણ, આઝાદી વખતે બંગાળ દેશના બે કટકા થવા સાથે પૂર્વ બંગાળ, પૂર્વ પાકિસ્તાન બન્યું હતું. આજે એ બાંગલાદેશ છે.

આજે પણ બંગાળ અને બાંગલાદેશ ભાષા, રહેણીકરણી અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સંકળાયેલાં છે. એ અલગ વાત કે આઝાદી વખતે બાંગલાદેશમાં આશરે 28% લોકો હિંદુ હતા. આજે આઠ ટકા પણ હિંદુ નથી. તો પણ, બાંગલાદેશ પાકિસ્તાન જેવો કટ્ટર દેશ નથી ગણાતો. એણે પાછલાં થોડાં વરસોમાં પ્રગતિ સાધી છે. ઓટીટીના મામલે અલગ ખેડાણ કરતાં પોતાની નોંધ લેવડાવી રહ્યું છે. ત્યાં દોઢેક ડઝન ઓટીટી પ્લેટફોર્મ્સ છે. એમાંથી બોંગો, ચોકરી, બાયોસ્કોપ, આપણે ત્યાંથી બાંગલાદેશ જનારું હોઈચોઈ, બિન્જ વગેરે મુખ્ય છે. ભારતીય પ્લેટફોર્મ હોઈચોઈ ત્યાં ગયું છે તો એની સામે બાંગલા ઓટીટી પ્લેટફોર્મ્સ બંગાળ સર કરવા ભારત આવી રહ્યાં છે. એમાંનું એક ચોકરી છે.

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice

વાઇબ્રન્ટ ગુજરાત કેવુંક રહ્યું

January 13, 2024 by egujarati No Comments

પાંચ વરસે થયેલી ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાતમાં કેવી રહી? એના ભપકા અને ગુજરાતમાં રોકાણો વિશે ઘણું છપાયું. 2019માં ઇવેન્ટમાં જઈને એનાથી બેહદ પ્રભાવિત થાય પછી આ વરસે ખૂબ ઉત્સાહ હતો. આશા હતી કે કોવિડ છી અને અમૃતકાળમાં યોજાનારી ઇવેન્ટ ક્યાંય વધુ સારી અને લાભકારી રહેશે. બેશક, રાજ્યમાં રોકાણની દ્રષ્ટિએ કદાચ એવું પરિણામ આવ્યું છે. એ સિવાયનાં નિરીક્ષણો આ રહ્યાંઃ

  • સુપર વીઆઈપીઝથી માંડીને સામાન્ય માણસ સુધી સૌ માટે ખુલ્લી ઇવેન્ટમાં સામાન્ય વિઝિટર્સ અને નાના વેપારી હેરાન થયા. ખાસ તો પહેલા દિવસે, જ્યારે સિલ્વર અને બ્લ્યુ રંગના બેજ સાથે પ્રવેશ મેળવતા એમના નાકે દમ આવી ગયો. દેશમાં સો ટકા વીજળી પુરવઠો કરવા સુધીની સિદ્ધિ મેળવવા સુધી પહોંચી ગયેલા વડા પ્રધાન નરેન્દ્રભાઈના હોમ સ્ટેટમાં બેજ જારી કરનારાં કાઉન્ટર્સ પર વીજળી ગૂલ હતી. એના લીધે થયેલી સખત ભીડ, ત્રાસ અને અવ્યવસ્થાએ દાટ વાળ્યો. 
  • સિલ્વર અને બ્લ્યુ કાર્ડધારકોને શુભારંભ ઇવેન્ટમાં પ્રવેશ નહીં છતાં એવી જાણ કરાી નહોત. એટલે સૌ વહેલી સવારથી પહોંચવામાં માંડ્યા. પછી એવા ગોસમોટાળા કે ના પુછો વાત. એક તો પ્રવેશ માટે કાર્ડ લેવામાં અને પછી બપોરે બે વાગ્યા સુધી શું કરવું એની મથામણમાં.
  • અસંખ્ય વીવીઆઈપીઝ, દેશ અને વિદેશના સત્તાધીશો હાજર હોવાથી ગાંધીનગરના રસ્તા અત્રતત્રસર્વત્ર કોર્ડન કરી દેવાયા હતા. એનાથી ગાંધીનગર પોલીસ અને આયોજકોએ સામાન્ય લોકો માટે ઇવેન્ટના મુખ્ય પ્રાંગણ સુધી પહોંચવું દુષ્કર કરી નાખ્યું હતું. બસની ફેરી સર્વિસ હતી પણ પહેલા દિવસે એની જાણ થાય એની સચોટ વ્યવસ્થા નહોતી. 
  • બપોરે બ્લ્યુ-સિલ્વરધારીઓને પ્રવેશ શરૂ થયો કે પ્રવેશદ્વાર ધાંધલ જેવ સ્થિતિ થઈ. સિક્યોરિટી ચેકમાં ખાલી હાથે પસાર થવું થોડું સહેલું હતું પણ નાનકડી પણ બેગ હોય તો કામથી ગયા જેવી સ્થિતિ હતી. 
  • 2019ની તુલનામાં 2024ની મિસમેનેજમેન્ટ વધ્યું હતું. ગુજરાતની ગરિમા અને તાકાત માટે એ યોગ્ય નહોતું. 
  • વિવિધ સેમિનાર્સ અને કાર્યક્રમો હાઉસફુલ રહ્યા પણ નબળા આયોજનને લીધે એ પૂરા માણી શકાય તેવો માહોલ નહોતો. 
  • આ વખતે બ્લ્યુ-સિલ્વર કાર્ડધારકોને ભોજનના પાસ નહોતા અપાયા. ગયા વખતે અપાયા હતા. ભોજન નહીં મળે એની જાણ નહોતી કરાઈ. રસ્તાનાં નિયંત્રણો વચ્ચે ઇવેન્ટથી બે-ત્રણ કિલોમીટર દૂર જઈ ખાવું શક્ય નહોતું. હા, પેઇડ ફૂડ કોર્ટમાં મળતી વાનગીઓ વાજબી દામે ઉપલબ્ધ હતી ખરી.  
  • વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ઇવેન્ટ એન્ટરટેઇનમેન્ટ જેવી હતી. મોટી સંખ્યામાં તેઓ ઉમટ્યા હતા. નેટવર્કિંગ માટે આવેલા વેપારીઓનો જોકે ખો નીકળી ગયો હતો. 
  • બી-ટુ-જી એટલે બિઝનેસ ટુ ગવર્નમેન્ટ મીટિંગ્સનાં સરકારી કાઉન્ટર્સ પર અધિકારીઓની હાજરી અને ગેરહાજરી મનમરજી મુજબની હતી. પહેલાં આવું નથી જોયું. મીટિંગ્સ કરનારા ઘણાનો મત આવો હતો, “મજા નહીં આવી…”
  • પાણી, ચા-કૉફી અને બિસ્કિટ, ત્રણ ચીજો સહેલાઈથી અને ઘણી જગ્યાએ વિનામૂલ્યે ઉપલબ્ધ હતી. 
  • મૂળ ઉત્તર પ્રદેશના અને દેશ તથા અમેરિકા વચ્ચે આવજા કરતા એક યુવાન વેપારીનું નિરીક્ષણ આ હતું, “તમારે નેટવર્કિંગની સરખી ગોઠવણ કરવી નહોતી તો મોટા ઉપાડે બોલાવ્યા શા માટે?”
  • આગલા દિવસ સુધી રાજકોટમાં પાટીદાર સંમેલનમાં હાજરી આપીને આવેલા બીજા એક વેપારીએ કહ્યું, “આના કરતાં સારી વ્યવસ્થા તો ત્યાં હતી.”
  • 2019માં ઇવેન્ટની એપ સરસ કામ કરતી હતી. એનાથી નેટવર્કિંગની આગોતરી મીટિંગ્સ સરસ ગોઠવી શકાતી હતી. આ વખતે લોચો હતો. મીટિંગ ફિક્સ કરવા મોકલેલા મેસેજના પ્રત્યુત્તર મળતા નહોતા. છોગામાં, સર્ચમાં સૌથી આયોજક સાથે સંકળાયેલી કંપનીઓના લોકો જ દેખાતા હતા.
  • વાઇબ્રન્ટને લીધે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન જોવાની તક મળી. એનાં વખાણનાં બહુ પોટલાં મીડિયામાં ખોલાયાં હતાં. મનમાં હતું કે કમાલનું સ્ટેશન હશે. ઉત્સાહ વચ્ચે રાતના સાડાઅગિયાર આસપાસની ટ્રેન માટે સાડાઆઠ વાગ્યામાં પહોંચી ગયા. જોયું તો કાંઈ કરતાં કાંઈ ના મળે. પાણી પણ નહીં. ખાવાનું ભૂલી જ જાવ. માથે ઝળુંબતી લીલા હોટેલના કેફેમાં જવાનું વિચાર્યું તો ત્યાં પહોંચાડતી લિફ્ટ બંધ હતી. આ સ્ટેશને ટ્રેન્સ જૂજ હોવાથી બની શકે આખો દિવસ સગવડો ધમધમતી રાખી ના શકાય પણ વાઇબ્રન્ટ વખતે, એ દિવસોમાં પસાર થતી ટ્રેન્સના સમય વખતે પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિની તસદી લઈ શકાઈ હોત. અમે હોંશીલા ભૂખ્યા પેટે, સામાન ઢસડતાં સ્ટેશને પહોંચી તો ગયા પણ પાછા સામાન ઢસડતાં ફૂડ કોર્ટે જવું પડ્યું જેથી પેટમાં કાંઈક તો જાય.  
  • અમે સમાપન સમારોહ માટે રોકાયા નહીં. એમાં શું થયું એ કહેવું અઘરું છે. પણ એટલું નક્કી કે વાઇબ્રન્ટના બે દિવસ ગયા વખતની તુલનામાં ઓછા ફળદાયી રહ્યા. 
  • ત્રણ દિવસમાં કથિત રૂ. 26.33 લાખ કરોડના રોકાણને આકર્ષનારી ઇવેન્ટ બેશક સરકારી દ્રષ્ટિકોણથી, રાજ્યના ઉજળા ભવિષ્યના દ્રષ્ટિકોણથી બેહદ સફળ ગણાય. એ માટે રાજ્ય સરકાર અને મોદી બેઉ અભિનંદનને પાત્ર છે પણ, હજારો વેપારીઓ જેમાં વેપારમાં લાભકારક નેટવર્કિંગ અને જ્ઞાનોપાર્જનની આશાએ આવે એ ઇવેન્ટમાં એમને વધુ સારી સગવડ આપી જ શકાય. આશા રાખીએ આવતી વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટમાં એ થશે.
Share:
Reading time: 1 min
Editor's choice

સ્ટોકટેક 2024: ટેકનોલોજી વર્સેસ સિક્યોરિટી

January 13, 2024 by egujarati No Comments
એઆઈ અને મશીન લર્નિંગ જેવી અદ્યતન ટેક્નોલોજીો સ્ટોક બ્રોકિંગના વ્યવસાય પર સકારાત્મક અસર કરી રહી છે. અન્ય વ્યવસાયોથી વિપરીત શેર બજાર સાથે સંકળાયેલા કામકાજ માટે આ ટેક્નોલોજી વિકાસમાં પૂરક બની રહી છે. એસોસિયેશન ઓફ નેશનલ એક્સચેન્જિસ મેમ્બર્સ ઓફ ઇન્ડિયા (એએનએમઆઈ કે એન્મી)ની ઇવેન્ટ સ્ટોકટેક 2024માં આ વિશે અગત્યના મુદ્દા ઉજાગર થયા હતા 

ટેક્નોલોજીના બદલાતા રૂખ અને શેર બજાર તથા બ્રોકિંગ બિઝનેસ પર એના પ્રભાવ વિશે શુક્રવારે મુંબઈના ગોરેગામમાં સ્ટોકટેક 2024નું આયોજન થયું હતું. નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઇન્ડિયા (એએનએમઆઈ કે એન્મી)ના નેજા હેઠળ આયોજિત સ્ટોકટેકમાં સાઇબર સિક્યોરિટીમાં વધુ રોકાણ કરવા સાથે બિઝનેસ માટે એની ઉપયોગિતા અને મહત્તા વિશે પણ વિમર્શ થયો હતો .

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સ્ટોકટેક 2024માં એક અગત્યનો મુદ્દો હતો. અનેક વેપારોનાં સમીકરણો એઆઈને લીધે બદલાવાનો ભય પ્રવર્તી રહ્યો છે. એનાથી વિપરીત, સ્ટોક બ્રોકિંગના વ્યવસાય પર એના નકારાત્મક પરિણામો થવાને બદલે સકારાત્મક ફેરફાર થવાનો મત ઘણા સહભાગીઓનો હતો. એનું કારણ કે એલ્ગોરિધમ સહિતનાં ટેક્નોલોજી આધારિત સંશોધનોને કારણે શેર ટ્રેડિંગ વધુ ધારદાર થઈ શકે છે. ઘણા બ્રોકર્સ પહેલેથી જ એલ્ગોરિધમનો ઉપયોગ કરીને એમના ગ્રાહકોને વધુ સારી સેવા સહિત શેર ટ્રેડિંગથી વધુ સારો નફો રળવામાં સહાયરૂપ થઈ રહ્યા છે.  

એએનએમઆઈમાં 900થી વધુ સ્ટોક બ્રોકર્સ સભ્યો છે. ડિજિટાઇઝેશન તરફ આગળ વધવાની સ્ટોક બ્રોકિંગની ગતિ પણ વધી રહી છે. માત્ર શેરની લેવેચ નહીં પણ અન્ય બાબતોમાં પણ આ વ્યવસાયમાં ટેક્નોલોજી મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. 

આ અવસરે ઉપસ્થિત સેબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વી. એસ. સુંદરસેને જણાવ્યું હતું, “જ્ઞાનના આદાનપ્રદાન માટે સ્ટોકટેક એક અત્યંત ઉપયોગી મંચ છે. ટેક્નોલોજી અપનાવતી વખતે આવશ્યક દક્ષતા અને જોખમોની સમજણ રાખવાથી એ વધુ સારું પરિણામ આપે છે. તેજ ગતિથી થતા આવિષ્કારોના આ સમયમાં વિકાસ અને વિવેક વચ્ચે સંતુલન જાળવવાનું દાયિત્વ એના સર્જકો અને વપરાશકર્તાઓની સમાન ધોરણે છે. ”

એન્મીના વેસ્ટર્ન રિજનના ચેરમેન મિલન પરીખે જણાવ્યું હતું કે એપીઆઈ આધારિત બ્રોકરેજ કંપનીઓ એમના ગ્રાહકોને ખાતું ખોલવાથી માંડીને તમામ કાર્યો અને સેવા વધુ સારી રીતે ટેક્નોલોજીને લીધે પૂરી પાડવા સક્ષમ બની છે. દરેક પસાર થતા દિવસ સાથે એલ્ગોરિધમ ટ્રેડિંગ વધી રહ્યું છે. સોફ્ટવેરથી સ્વયંચાલિત ટ્રેડિંગ આસાન બન્યું છે. 

એન્મીના કન્વિનર અને વેસ્ટર્ન રિજનની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય મહેશ દેસાઈએ ડેટા એનાલિટિક્સ, એઆઈ, મશીન લર્નિંગ વગેરેની વિશિષ્ટતાઓ વિશે ઉપયોગી જાણકારી વહેંચતાં જણાવ્યું હતું કે સ્ટોક માર્કેટના વિકાસ માટે એ અગત્યનાં પરિબળો છે. એમનવા મતે, “મશીન લર્નિંગ અને એઆઈને લીધે બજારમાં સર્જાતાં અસાધારણ જોખમો વિશે પહેલાંથી વધુ સારી રીતે સતર્ક અને સુસજ્જ રહેવું શક્ય બન્યું છે.”

ઇવેન્ટમાં એનસીડીઆએક્સના ચીફ ટેકનોલોજી ઓફિસર વિરલ દાવડા, ટીએસએસના સ્થાપક સાગર તન્ના, સીડીએસએલના એમડી અને સીઈઓ નેહલ વોરા, બીએસઈના એમડી અને સીઈઓ સુંદરરામનન કિષ્નમૂર્તિ, સેબીના જનરલ મેનેજર શ્રી અવનીશ પાંડે, એન્મીની નેશનલ કાઉન્સિલના ડિરેક્ટર નીરવ ગાંધી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ્સના ચીફ જનરલ મેનેજર દીપક ત્રિવેદી સહિત અનેક મહત્ત્વના લોકો ઉપસ્થિત હતા.

બદલાતી ટેક્નોલોજી અને શેર ટ્રેડિંગ વિશે એએનએમઆઈએ એક મહત્ત્વપૂર્ણ સર્વેક્ષણ કર્યું હતું. અનેક બ્રોકર્સ એમાં સહભાગી થયા હતા. સર્વેક્ષણમાં જાણવા મળેલાં અમુક અગત્યનાં તારણો આ મુજબ છે.

  • એએનએમઆઈના વેસ્ટર્ન રિજનના 82% બ્રોકર્સ સાઇબર સિક્યોરિટીમાં વધુ રોકાણ કરીને એમના ગ્રાહકોને વધુ સારી સેવા અને સુરક્ષા પૂરો પાડવાની તત્પરતા ધરાવે છે. આઈટીમાં કર્મચારીઓની સંખ્યા વધારવાની તત્પરતા 71.1% ધરાવે છે.
  • 82.3% સહભાગીઓના મતે સાઇબર સિક્યોરિટીના મોરચે યોગ્ય પગલાં લેવાથી એમના બિઝનેસ સાઇબર એટેકનો વધુ સુસજ્જતા સાથે સામનો કરી શકશે.   એઆઈને લીધે બિઝનેસ પર નકારાત્મક અસર નહીં પડે એવો મત 62% બ્રોકર્સનો હતો.
  • 53.1% સહભાગીઓએ જણાવ્યા પ્રમાણે 2023માં તેમણે આઈટી સંબંધિત સમસ્યાનો સામનો નહોતો કરવો પડ્યો. સામે પક્ષે, આઈટી માટે થતા ખર્ચમાં વીતેલા વરસમાં 20% વધારો થયો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
Share:
Reading time: 1 min
Editor's choice

Mangrol Multimedia at New Delhi World Book Fair 2023

March 1, 2023 by egujarati No Comments
After three years, the National Book Trust’s (NBT) New Delhi World Book Fair (NDWBF) is back. We were eager to participate in it as usual, as an exhibitor. Meeting prospects as well as talents in the media field always excites us.
As a media service provider in 40 leading Indian and world languages, we believe networking with people helps us understand the business better and grow along with India.
This is NBT’s golden jubilee year. This is the first time that NDWBF is happening in new and swankier halls at Pragati Maidan. We have learnt that the scale and size of the fair has doubled thanks to improved infrastructure at the venue.
However, the beginning was disappointing. Hope things will improve with each passing day.
Here are a few initial highlights of the NDWBF, from the day prior to its inauguration and of the first day.
As we reached the venue on Friday to take possession of our stall and set things in order, we witnessed lots of chaos. We were asked to go for a gate pass to Bahiron Mandir, from gate 5 at Pragati Maidan, even though we had no vehicle to take inside. It resulted in unnecessary hassles.
The facia was not put on. Neither the basic facilities like a table, chairs were placed. The entire hall number 5, where we are situated, was in a mess with dust and garbage all around. The event was to kickstart the next day!
We somehow managed to find our stall and tried setting things in order as much as possible. Then came another question: Where are our passes that let us enter the venue every day as exhibitors?
There was no one to offer assistance. After some legwork, we found a makeshift counter where NBT officials were to distribute such passes. The situation there was like a jamboree. Several exhibitors were falling upon each other to get passes. A long wait followed until finally kits of exhibitors arrived. Collecting our kit with passes was cumbersome.
We wondered why giving such passes can’t be digitized? If NBT can collect stall rents online, inform about stall allotment online, and do many such things online, why can’t it send exhibitors’ passes online?
On Saturday, we reached the stall and found things were a tad bit more organized than the earlier evening. This gave us some hope and respite.
The newly opened exhibition halls at Pragati Maidan are certainly a notch above the old one. Still, many things may take time to become flawless.
The washrooms at hall 5 were stinking. The drinking water fountains are fitted in the center between two washroom blocks. The airport like water fountains are useless for those who wish to refill bottles. If you manage it creates a mess. Moreover, taps on the other end of the hall are non-functional.
We suggest NBT should let visitors enter the fair from all the gates of Pragati Maidan. This would help the visitors seamlessly navigate the do and expose exhibitors spread across various halls, whether near the main entry or the rear entry.
There is no doubt that as days will pass, the fair is going to witness many more visitors. The comeback of NDWBF deserves all success for sure!
About Mangrol Multimedia Ltd.
Mumbai-based Mangrol Multimedia Ltd. is a media servicing agency. It was incorporated as a proprietorship firm in 2010 and as a limited company in 2018. Mangrol serves 350+ clients through its in- house team and associates.
Mangrol’s range of services include
Translation (Localization) in 40 languages
Content creation
Transcription
Graphic Designing
Web Designing
Animation
Audio-Video Editing
Audio-Video Production
Voice Over
Digital Marketing
Keep reading for better living!
Mangrol Multimedia is a participant in NDWBF 2023. We invite you to visit our stall to explore our services and samples.
Dates: 25 February to 5 March 2023
Venue: Pragati Maidan, New Delhi
Hall: 12A
Stall: 485
Share:
Reading time: 3 min
Page 15 of 16« First...10«13141516»

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

નાથદ્વારા બદલાઈ રહ્યું છે

November 20, 2022

વેલકમ 2023 આ વર્ષે ઓટીટી પર શું જોશો?

January 6, 2023
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

November 3, 2022

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

રંગીનઃ વચમાં ગડથોલાં ખાતા રંગોનું શું?

રંગીનઃ વચમાં ગડથોલાં ખાતા રંગોનું શું?

August 8, 2025
રાજીવ ગાંધીના હત્યારાઓનું પછી શું થયું?

રાજીવ ગાંધીના હત્યારાઓનું પછી શું થયું?

August 1, 2025
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.