બબ્બે સીઝન સુધી જેણે દર્શકોને જકડી રાખ્યા એવી એક બદનામ ‘આશ્રમ’ સિરીઝની ત્રીજી સીઝનનો બીજો ભાગ આવી ગયો છે. બોબી દેઓલને નિરાલા બાબા ઉર્ફે મોન્ટી તરીકે પેશ કરતી સિરીઝની આ કડી કેવી છે?
એમએક્સ પ્લેયરની સિરીઝના સર્જક પ્રકાશ ઝા છે. લૉકડાઉનમાં, એટલે ઓગસ્ટ 2020માં એની પહેલી સીઝન આવી હતી. લોકોની આસ્થાનો દુરુપયોગ કરતાના ઢોંગી ધર્મગુરુઓ જેવા નિરાલા બાબાને કેન્દ્રસ્થાને રાખીને બનેલી સિરીઝ અનેક બાબતોથી લોકપ્રિય થઈ. આપણે ત્યાં ઢોંગી ધર્મગુરુઓની કમી નથી. એમની ભવ્ય લાઇફસ્ટાઇલ, એમની કામક્રીડાઓ, રાજકીય રમતો અને આર્થિક ઉન્નતિઓ… બધાંથી લોકો વાકેફ છે. ‘આશ્રમ’ સિરીઝ એ વાતોને મનોરંજક પણ વેધક રીતે સામે લાવી.
સીઝન ત્રણના બીજા ભાગના પાંચ એપિસોડ્સમાં વાર્તા ચાલે છે બાબા નિરાલાએ પોતાને ભગવાન લેખાવા માંડ્યો છે ત્યાંથી. બાબાએ કરેલા શારીરિક સંભોગ પછી માનસિક ધ્વસ્ત પમ્મી પહલવાન (અદિતી પોહણકર) ન્યાય મેળવવાને બદલે સળિયા પાછળ છે. કારણ બાબાએ પોતાની શુદ્ધીકરણ (શારીરિક સંભોગ કરવાને અક્ષણ) સાબિત કર્યો છે. એના પર બળાત્કારનો આરોપ લગાડવા માટે પમ્મી હવે સજા ભોગવી રહી છે. બાબાનો પ્રભાવ એના અનુયાયીઓ તો ઠીક, રાજકારણીઓ પર પણ એવો છવાયો છે કે એ પરોક્ષ સત્તાધીશ થઈ ગયો છે. એ ઠરાવે ત્યારે દિવસ અને એ ઠરાવે ત્યારે રાત, એવી હાલત હોય ત્યાં પમ્મી બાબાનું બગાડી લેવાની?



Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!